મોરબીમાં કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જીલ્લાની અદાલતોમાં લોક અદાલત યોજાઈ
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના ઉપક્રમે મોરબી જીલ્લાની તમામ અદાલતો તેમજ મોરબી જીલ્લાની ફેમીલી કોર્ટ ખાતે મુખ્ય જીલ્લા ન્યાયાધીશ એ ડી ઓઝા સાહેબના માર્ગદર્શન હેઠળ મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું હતું
જે લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ અંતર્ગત અકસ્માતને લગતા કેસો, ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, ભરણપોષણ કેસો, LAR ના કેસો, બેંકના દાવાઓ તેમજ પીજીવીસીએલના કેસો સમાધાન માટે મુકેલ હતા જેમાં કુલ ૪૬૫ કેસોમાં સુખદ સમાધાન થયું છે તેમજ પ્રી લીટીગેશન કેસો (કોર્ટમાં દાખલ નહિ થયેલ કેસો) માં કુલ ૧૦૭૪ કેસોમાં સુખદ સમાધાન થયું છે તેમજ મેજીસ્ટ્રેટના સ્પેશ્યલ સીટીંગમાં ૨૩૫૬ કેસોનો નિકાલ થયો છે તમામ કેસો મળીને કુલ રૂ ૨૫,૯૭,૫૯,૦૫૫ ની રકમનું સેટલમેન્ટ થયેલું છે.
સરદાર પટેલ ની 75 મી પુણ્યતિથિ નિમિત્તે કરમસદ ના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે સન્માન કરવામાં આવ્યું
ધ સરદાર મિશન અને સરદાર પટેલ શોધ સંસ્થાન ના સંયુક્ત ઉપક્રમે એવોર્ડ ફંકશનનું આયોજન
જિગ્નેશ કાલાવડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે 25 કરોડ કૂર્મી - પાટીદારો ની એકતા માટેના પ્રયાસો ની નોંધ લઈને તેમનુ સન્માન કરવામાં...
મોરબીના દલવાડી સમાજના યુવાન ગણેશભાઈ પરમાર કે જેઓ ભારતીય સેનામાં સિકંદરાબાદ ખાતે ફરજ બજાવતા હોય ત્યારે શહિદ થઈ જતા મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા શહિદ જવાનના પરિવારની મુલાકાત કરી શાંત્વના પાઠવી શહિદ જવાનના પરિવારને રૂપિયા 75000ની સહાય અર્પણ કરવામાં આવી હતી.
મોરબીના બાયપાસ રોડ પર દલવાડી સર્કલ નજીક રોડ ઉપર ટાટા ગાડીએ એકટીવાને હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના પુત્રએ આરોપી ગાડી ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર આવેલ નિલકંઠ મહાદેવ મંદિર પાછળ બોખાની વાડીમાં રહેતા હિરાલાલ...