આજરોજ મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે મોરબી જીલ્લા ઓબીસી ડિપાર્ટમેન્ટ તેમજ જીલ્લા કોંગ્રેસ ટીમ દ્વારા જાતિ આધારિત ગણના,ક્રિમિલિયર સર્ટિફિકેટ ,ઓબીસી સમાજ ને અલગ રેજીમેન્ટ અને અલગ મંત્રાલય ઉચ્ચતમ ન્યાયલયોમાં ઓબીસી ની સંખ્યા ઓછી છે તો મેરીટ ના આધારે ભરતી પ્રક્રિયા કરવામાં આવે, ઓબીસી વર્ગ ની મહિલાઓ ને અલગથી અનામત મળે, દેશમાં અડધાથી વધુ સંખ્યા ઓબીસી ની છે તો 50 % અનામત મળે ઓબીસી વર્ગ ના લોકોને કોન્ટ્રાક્ટ ને બદલે સરકારી નોકરી મળે, વિધાર્થીઓને છાત્રવૃત્તિ અને ખાનગીકરણ બંધ થાઈ જેવી વિવિધ માંગ ને લઈ મોરબી જીલ્લા કલેકટર જે.બી.પટેલ ને આવેદન આપવામાં આવ્યું
આ આવેદન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ઓબીસી ચેરમેન કેપ્ટન અજયસિંગ યાદવ ના સૂચના થી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તેમજ ગુજરાત પ્રદેશ ઓબીસી ચેરમેન ઘનશ્યામ ગઢવીના સૂચન મુજબ તેમજ મોરબી જીલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઇ આહીરની અધ્યક્ષતામાં આ આવેદન આપવામાં આવું હતું જેમાં પૂર્વે પ્રધાન મોરબી જીલ્લા પ્રભારી ડો દિનેશભાઇ પરમાર, મોરબી જીલ્લા પ્રમુખ જેન્તીભાઈ પટેલ, પૂર્વે કાર્યકારી પ્રમુખ ડો એલ એમ કંઝારીયા, પ્રદેશ મંત્રી રમેશ ભાઈ રબારી, મોરબી તાલુકા પ્રમુખ કે ડી પડસુંબિયા, મોરબી શહેર પ્રમુખ રાજુભાઇ કાવર, માળિયા શહેર પ્રમુખ ઇકબાલ ભાઈ જેડા, નાઝીર ભાઈ જેડા, રમેશભાઈ આહીર, મહેશભાઈ રાજ્યગુરુ, દેવેન્દ્ર સિંહ જાડેજા, પ્રભુભાઈ, મનસુખભાઇ, ભરતભાઇ કુંભરવાડિયા, ઘનશ્યામભાઈ કોળી, દલસુખભાઈ, લખુભા ગઢવી, જીલુભાઈ પરમાર, નિલેશભાઈ સુરેલીયા, લક્ષમણભાઈ કોળી, આહીર જીલુભાઈ ખાખરાડા, દીપકભાઈ પરમાર, ચિંતાનભાઈ રાજ્યગુરુ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા
મોરબી તાલુકાના ફાટસર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના ફાટસર ગામે રહેતા મુન્નાભાઈ કેગુભાઇ ગાવડ (ઉ.વ.૪૦) નામના યુવકે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ...
મોરબીના વીશીપરામિ રહેતો યુવક ગુમ થયેલ હોય ત્યારબાદ તેની શોધખોળ હાથ ધરતા મચ્છુ નદીના પાણીમાંથી ડૂબી ગયેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ સંજયભાઇ મેઘજીભાઇ ઉધરેજા (ઉ.વ.૩૫) રહે. વીશીપરા રમેશ કોટન મીલની અંદર મોરબીવાળો યુવક ગુમ થયેલ હોય જેથી તેની શોધખોળ કરતા યુવકની મચ્છુ નદીના પાણીમા ડુબી...