પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને મોરબી જીલ્લા સંગઠન પ્રભારીની સુચના અને માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સાથે વિચાર વિમર્શ કરીને મોરબી જીલ્લા માલધારી સેલની રચના કરીને હોદેદારોની નિમણુક કરવામાં આવી છે
મોરબી જીલ્લા માલધારી સેલના સંયોજક તરીકે કાનજીભાઈ ડુંગરભાઇ ભુંભરીયા, સહ સંયોજક તરીકે નાજાભાઈ પેથાભાઈ ભરવાડ તેમજ સભ્ય તરીકે રાજુભાઈ મૈયાભાઈ ગમારા, નીતિનભાઈ નારણભાઈ પાઘરીયા, ભુપતભાઈ માંડણભાઈ પાંચિયા, રમેશભાઈ ગેલાભાઈ પાંચિયા, નવઘણભાઈ નાગજીભાઈ વકાતર, મોનાભાઈ દેવાભાઈ ખાંભરા અને ભરતભાઈ ગમારાની વરણી કરવામાં આવી છે
મોરબી લાલબાગ સેવા સદનમાં કરોડો રૂપિયાના વહીવટ અને નોંધણી થતી હોવા છતાં સેવાસદનમાં પાયાની સુવિધાઓના અભાવ મુદ્દે મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ તંત્ર પર આક્ષેપો કરી આકરા પ્રહારો કર્યા હતા.
આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મોરબી...