મોરબી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર સ્મારક સમિતિ અંતર્ગત આંબેડકર ઉપનગરની રોહીદાસ વસ્તીમાં સેવા દિનના શુભ દિવસે શિક્ષણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
જે કાર્યક્રમમાં આરએસએસ અગ્રણી લલીતભાઈ ભાલોડીયા, રણછોડભાઈ કુંડારિયા તેમજ વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા બાળકોમાં રાષ્ટ્રભાવના નિર્માણ થાય તેવા હેતુથી શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે શિક્ષણ કેન્દ્રમાં દેશ ભક્તિ ગીત, રમતો, ચારિત્ર નિર્માણની બાળ વાર્તાઓ, સર્જનાત્મક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.
મોરબી શહેરમાં નવરંગ નેચરલ કલબ દ્વારા તા. ૧૪-૦૫-૨૦૨૫ને બુધવારના રોજ સવારે ૦૮ થી ૦૧ કલાક દરમ્યાન મોરબી-૨ રામકૃષ્ણ જનકલ્યાણ રીલીફ સોસાયટી બાપા સીતારામ ચોક પોસ્ટ ઓફિસ સામે સદગુરૂ પાન સેન્ટર ખાતે રાહતભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.
જેમાં ફુલ છોડના કલમી રોપા 26 પ્રકારના ગુલાબ મોગરો ચંપો કેવડો ગલગોટા દરેક...
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા મહાનગરપાલિકા ની ઇસ્ટ ઝોન ઓફીસ ખાતે ડે. – એન.યુ. એલ. એમ. યોજના અંતર્ગત બનેલા સખી મંડળો તથા સ્થાનીક મહિલાઓ માટે ઘરે બેઠા આર્થિક પ્રવૃત્તિ માટે એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સખી મંડળની બહેનો ઘરેબેઠા પોતાની આજીવિકા મેળવી શકે તે માટે ઇન્મીટેશન...