મોરબી: મોરબી તપોવન વિદ્યાલય ખાતે આચાર્ય નરેશજીનો રાષ્ટ્ર, ધર્મ અને વ્યક્તિત્વ વિકાસ વિષય પર સેમિનાર યોજાયો હતો જેમાં આર્યસમાજમાંથી આચાર્ય નરેશજી તેમજ માતૃભૂમી વંદના ટ્રસ્ટમાંથી મહેશભાઈ ભોરણીયા તેમજ તેમના પિતા પરસોત્તમભાઈ ભોરણીયા ઉપસ્થિત રહ્યા હતા.
આચાર્ય નરેશજી એ તેમના વકતવ્યમાં જ્ઞાન, બ્રહ્મચર્ય, રાષ્ટ્રભાવના, વેદ, સભ્યતા, અંધશ્રદ્ધા જેવી બાબતો પર ખુબ સરળ શૈલીથી માર્ગદર્શન આપી, વિદ્યાર્થીઓને એક આદર્શ માનવી અને નાગરિક બનવા પ્રોત્સાહિત કર્યા. આ તકે શાળાના સંચાલક અશોકભાઈ રંગપરિયા, પ્રિન્સિપાલ નરેશભાઈ સાણજા, પ્રાથમિક વિભાગના સંચાલક દિપ્તીબેન રંગપરિયા તેમજ સમગ્ર સ્ટાફગણ દ્વારા આચાર્ય નરેશજીનો આભાર વ્યક્ત કર્યો હતો.
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લામાં તમામ જરૂરિયામંદ લોકોને બેંકો મારફતે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા અટલ પેન્શન યોજનાના લાભ મળે તે માટે નાણાકીય સમાવેશ સંતૃપ્તિ અભિયાનની અસરકારક અમલવારી માટે જિલ્લાના ઉદ્યોગપતિઓ તથા વિવિધ એસોસિએશન સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં...
મોરબીના નવલખી રોડ પર કોલસો ભરીને ચાલતા ટ્રક અને ગ્રામજનો આ રોડ ના ઉપયોગ કરે છે. આ રોડ પર ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયેલ હોય અને આ રોડ પર આશરે 25 ગામના લોકો ની અવરજવર રહેતી હોય અવારનવાર ગંભીર અકસ્માતો આ ખાડાઓના લીધે બનતા હોય છે અને...
આમ આદમી પાર્ટી મોરબી દ્વારા શહેર ની અંદર ચાલતા નાના અને સામાન્ય ધંધાઓ જેવાકે ખાણી પીણી સાથે સંકળાયેલા વેપારો કે જે મોટે ભાગે માધ્યમ અને નાના ધંધાર્થી ચલાવતા હોય છે. આવા વ્યવસાયો રાત્રિના 11 થી 12 વાગ્યા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવે છે અને પોલીસ સ્ટાફ દ્વારા...