મોરબી: મોરબી તપોવન વિદ્યાલય ખાતે આચાર્ય નરેશજીનો રાષ્ટ્ર, ધર્મ અને વ્યક્તિત્વ વિકાસ વિષય પર સેમિનાર યોજાયો હતો જેમાં આર્યસમાજમાંથી આચાર્ય નરેશજી તેમજ માતૃભૂમી વંદના ટ્રસ્ટમાંથી મહેશભાઈ ભોરણીયા તેમજ તેમના પિતા પરસોત્તમભાઈ ભોરણીયા ઉપસ્થિત રહ્યા હતા.
આચાર્ય નરેશજી એ તેમના વકતવ્યમાં જ્ઞાન, બ્રહ્મચર્ય, રાષ્ટ્રભાવના, વેદ, સભ્યતા, અંધશ્રદ્ધા જેવી બાબતો પર ખુબ સરળ શૈલીથી માર્ગદર્શન આપી, વિદ્યાર્થીઓને એક આદર્શ માનવી અને નાગરિક બનવા પ્રોત્સાહિત કર્યા. આ તકે શાળાના સંચાલક અશોકભાઈ રંગપરિયા, પ્રિન્સિપાલ નરેશભાઈ સાણજા, પ્રાથમિક વિભાગના સંચાલક દિપ્તીબેન રંગપરિયા તેમજ સમગ્ર સ્ટાફગણ દ્વારા આચાર્ય નરેશજીનો આભાર વ્યક્ત કર્યો હતો.
વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
સૌ પ્રથમ મગજ નો તાવ ના લક્ષણો સાથે ચાંદીપુરા વાયરસ ૧૯૬૫ ના વર્ષમાં મહારાષ્ટ્ર ના ચાંદીપુરા ગામમાંથી મળી આવેલ. જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે ગંભીર...
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-વાંકાનેર દ્વારા તાલુકા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠકની શરૂવાત સૌ પ્રથમ ભારતીય સંસ્કૃતિ મુજબ સરસ્વતી વંદના કરીને કરવામાં આવી, ત્યારબાદ કારોબારી બેઠકમાં ઉપસ્થિત મોરબી જિલ્લાના અધ્યક્ષ, સિનિયર ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા તેમનું તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા દરેક કાર્યકર્તાનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું.
બેઠકમાં સંગઠનનો વ્યાપ...