મોરબી: મોરબીની ગોઝારી દુર્ઘટનાને આજે ૯ દિવસના દાડા વીત્યા ચુક્યા છે જોકે હજુ પંથક એ ગોઝારી દુર્ઘટનાને ભુલાઈ શક્યા નથી અને ચુંટણી જાહેર થયા છતાં ચુંટણીનો કોઈ માહોલ જોવા મળતો નથી અને દરેક પ્રકારની ઉજવણી પણ મોકૂફ રાખવામાં આવી રહી છે જેમાં આજે ગુરુ નાનક જયંતીની ઉજવણી પણ મોકૂફ રાખી માત્ર ધૂન ભજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
સિંધી સમાજ અને શીખ સમાજના આરાધ્ય દેવ ગુરુ નાનક જયંતીની દર વર્ષે ધામધુમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે જોકે થોડા દિવસ પૂર્વે મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી જેના આઘાતમાંથી મોરબી હજુ બહાર આવ્યું નથી ત્યારે સિંધી સમાજ દ્વારા પણ ગુરુ નાનક જયંતીની ઉજવણી મોકૂફ રાખવામાં આવી હતી.
મોરબી સિંધી સમાજ દ્વારા આજે ગુરુ નાનક જયંતી નિમિતે યોજાનાર શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે સિંધી સમાજના ભાઈઓ-બહેનોએ ધૂન-ભજન કર્યા હતા અને મૃતકોની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી.
મોરબી મહાનગરપાલિકાની દ્વારા MMC@1 અન્વયે સનાળા રોડ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા છાત્રાલય ખાતે મોરબી મહાનગર પાલિકા દ્વારા યુવા માર્ગદર્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
MMC@1 મોરબી મહાનગરપાલિકા બન્યું તેનું ઉજવણી સપ્તાહ અંતિમ ચરણમાં છે જેના ભાગરૂપે આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા...
મોરબી શહેર તેમજ જીલ્લામાં ભારે વાહનો દારૂનો નશો કરીને બેફામ ચલાવતા હોય છે આ બાબતે અનેક વખત ધ્યાન દોરવા છતા પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામા આવતી નથી ત્યારે બેફામ બની રહેલ ટ્રક ચાલકોએ માજા મુકતા મોરબીના ગીડચ ગામે પાણીના ટેન્કર ચાલકે બાઈકને હડફેટે લેતા બે યુવકના મોત નિપજ્યા હતા...
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ તથા મહાનગરપાલિકા ના એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગત સખી મંડળની બહેનો તથા યોજનાકીય લાભાર્થી બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ તથા આજીવિકા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત રચાયેલા સખીમંડળની બહેનો તથા યોજનાકીય...