આઝાદી કા અમૃત મહોત્સવ યોજના અંતર્ગત નગરપાલિકાઓમાં જુના વેરાની વ્યાજમાફી આપતી પ્રોત્સાહક વળતર યોજના ની મુદત આજે પૂર્ણ થઈ ગઈ છે ત્યારે સરકાર દ્વારા આ યોજના હજુ બે મહિના સુધી લંબાવવામાં આવેલ છે એટલે આ યોજનાનો લાભ કરદાતાઓ 31 મે સુધી લઈ શકાશે.
વધુ જાણવા મળતી વિગતો મુજબ ગુજરાત રાજ્યની નગરપાલિકાઓમાં મિલકત ધારકો પાછલી બાકી રકમ સમયસર ભરતા ન હોઇ નગરપાલિકાની પાછલી બાકી કરવેરાની વસુલાત મોટા પ્રમાણમાં બાકી રહેતી હતી. કરદાતાઓને અગાઉના વર્ષોની બાકી કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે, પ્રોત્સાહન મળે તેમજ નગરપાલિકાઓને પણ આવકમાં વધારો થાય તે માટે મિલકત ધારકો અને નગરપાલિકાઓના હિતને ધ્યાને રાખી સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના”દાખલ કરવામાં આવેલ. જે પરત્વે તા.૧૯/૦૨/૨૦૨૨ના રોજ પરિપત્ર કરવામાંઆવેલ. જેમાં ગુજરાત રાજ્યની નગરપાલિકાઓમાં મિલકત પેટે આગાઉના વર્ષોના જુના માંગણા ભરપાઈ કરવા માટે તમામ પ્રકારના વેરાની બાકી રકમ તા.૩૧/૦૩/૨૦૨૨ સુધીમાં ભરપાઇ કરે તો નોટીસ ફી, વ્યાજ / પેનલ્ટી / વોરંટ ફી પેટેની ૧૦૦% રકમ માફ કરવામાં જે અન્વયે રાજ્યની નગરપાલિકાઓ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહકતર યોજના” હેઠળ આજદિન સુધી પાછલી બાકીની થયેલ વસુલાત તેમજ વ્યાજમાફી દ્વારા આપવામાં આવેલ રકમને ધ્યાને લઈ તેમજ જુદી-જુદી નગરપાલિકાઓમાંથી મળેલ રજુઆતોને ધ્યાને લઈ રાજયની જાહેર જનતાને વધુમાં વધુ લાભ થઈ શકે તે હેતુથી રાજ્યની નગરપાલિકાઓમાં કરવેરા વસુલાત હેઠળ “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનાની મુદતમાં વધુ બે માસ એટલે કે ૩૧/૦૫/૨૦૨૨ સુધીનો વધારો કરવાની મંજુરી આપવામાં આવેલ છે. આમ, રાજયની નગરપાલિકાઓમાં “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના” હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ સુધીના અગાઉના વર્ષોના તમામ પ્રકારના જુના બાકી માંગણાની રકમ ભરપાઈ કરવા માટેની મુદત તા.૩૧/૦૫/૨૦૨૨ સુધી લંબાવવામાં આવી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...