વાડી વિસ્તારના કામો બાબતે પાલીકા પ્રમુખ નાં પતિ અને એક સતવારા સમાજના યુવાન નો ઓડીયો પણ વાયરલ થયો હતો મોરબી શહેર ની એ ગ્રેડ ની ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૧૧ માં પ્રજા ને મળવી જોયતી પ્રાથમિક સુવિધા આપવા માં નગર પાલિકા સાવ નિષ્ફળ ગયેલ છે
પાલિકા ના પ્રમુખ કે કે પરમાર અને તેની સાથે સતવારા સમાજ ના અન્ય સદસ્ય પણ ભાજપ ની પેનલ માં ચૂંટાયા છે અને પાલિકા માં થી મળતીમાહિતી પ્રમાણે આ વાડી વિસ્તાર માટે સરકારે કરોડો રૂપિયા ની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવેલ છે છતાં આં વિસ્તાર ના કામ કોય કરવા માં આવતા નથી ત્યારે આ વિસ્તાર ની તારીખ ૨૩/૩/૨૦૨૨ ને બઘુવાર ના રોજ વાડી વિસ્તાર રોલા રાતડીયાની વાડી ભાયત રોલ ની વાડી. કપોરી ની વાડી.શીયાર ની વાડી પાનેલી ની વાડી અને સામતાણીની વાડી ના આગેવાન ની એક મીટીંગ મળેલ
જેમાં મોરબી નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૧૧ માં લાઈટ સફાઈ પાણી અને ગટર અને ભૂગર્ભ ગટર અને રોડ રસ્તા ની સુવિઘા આપવા માં આવતી નથી તે માટે આજ રોજ સતવારા સમાજ વાડી વિસ્તારની મીટીંગ રોલાં રાતડિયા ની વાડી માં હોળી ચોક માં મળેલ અને આં પ્રાથમિક સુવિધા માટે થય ને ચર્ચા કરવા માં આવી નગરપાલિકા માં અનેક વખત રજુઆત કરવા છતાં પણ પ્રાથમિક સુવિઘા આપવા માં આવતી નથી
માટે થય ને આવનાર સમય માં આં વિસ્તાર ને પ્રાથમિક સુવિધા ઓ આપવા માં નહિ આવેતો આવનાર દિવસો માં નગર પાલિકા ને ઘેરાવ કરવા નું નક્કી કરેલ અને આવનાર વિધાન સભાની ચૂંટણી માં મત નો બહિષ્કાર કરવા માં આવશે તેમ. નક્કી કરેલ આ વોર્ડ નંબર ૧૧ ના ચારે ચાર સદસ્ય સતવારા સમાજ ના છે અને પાલિકા પ્રમુખ કે.કે પરમાર પણ સતવારા સમાજ ના હોવા છતાં આં વાડી વિસ્તાર ના કોય કામ કરવા માં આવતા નથી માટે સાતેય વાડી ના સતવારા સમાજ ના લોકો એ ચીમકી ઉચારી છે કે આ વાડી વિસ્તાર ને પ્રાથમિક સુવિઘા આપવા માં નહિ આવે તો પાલિકા ને ઘેરાવ કરવા માં આવશે અને વિધાન સભા ની ચૂંટણી માં મત નો બહિષ્કાર કરવા માં આવશે તેમ સતવારા સમાજ વોર્ડ નંબર ૧૧ ના કાના ભાઈ મલા ભાઈ તેમજ પ્રફુલ નકુમ તેમજ સુરેશ ડાભી.અને નીતિનભાઈ ની યાદી જણાવે છે
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...