મોરબી: મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજિયાના પુત્ર ક્રિષ્નના જન્મ દિવસની આજે તા. 18/01/ 2023 ને બુધવારે અનોખી રીતે ઉજવણી કરાઇ હતી. જેમાં જે દંપતી માતા-પિતા બનવા જઈ રહ્યા છે તેમને ‘ગર્ભ સંહિતા’ ભાગ 1 અને 2 પુસ્તકો ભેટ સ્વરૂપે આપી અને જે માતા-પિતા બની ચૂક્યા છે તેમને બાળકોનો ઉછેર કેવી રીતે કરવો તે માટે “બાળ ઉછેર બે હાથમાં” પુસ્તકો ભેટ સ્વરૂપે આપેલ. આ અગાઉ આ પુસ્તકો 1000 નંગની આસપાસ પી.ડી. કાંજિયા દ્વારા જરૂરિયાત ધરાવતા લોકોને આપવામાં આવેલ હતી આજે ક્રિષ્નના જન્મદિવસ નિમિત્તે 200 થી ઉપર આ પુસ્તકોનું ભેટ સ્વરૂપે વિતરણ કરવામાં આવેલ.
આ સિવાય શિયાળાની કાતિલ ઠંડીથી બચવા બ્લેન્કેટ જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવેલ તેમજ ગાય માતાને ઘાસચારો આપેલ આટલું કાર્ય કરવા ઉપરાંત સરકારી શાળાઓમાં જઈને 2500 જેવા વિદ્યાર્થીઓને અલ્પાહાર કરાવેલ. ખરેખર ધન્ય છે આ માતા પિતાને કે જે આવા વિચારો થકી કેટલાય લોકોનું કલ્યાણ થાય છે તેમજ બીજા માતા પિતાને પણ પ્રેરણા બળ પૂરું પાડવાનું નિષ્ઠાવાન કાર્ય કરે છે.
હળવદ: વીજળીએ જેટલી સુવિધાજનક છે, તેટલી જ જોખમી પણ સાબિત થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલ (PGVCL) હળવદ વિભાગીય કચેરી દ્વારા એક અત્યંત પ્રભાવશાળી 'સેફ્ટી અને ઉર્જા સંરક્ષણ' સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરક્ષાના પાસાઓને માત્ર વાતોથી નહીં, પણ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા હતા.
સેફ્ટી...
9 ડિસેમ્બર 2025 ના રોજ 85 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ચાલુ તાણ આંચકી સાથે ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યાં ડો.સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા ઊંડાણમાં તપાસ કરતા જણાવ્યું કે દર્દી ને પેરાલિસિસ નો હુમલો આવેલો છે, હૃદયનો હુમલો આવેલો છે, ખોપડી ના હાડકામાં ફેક્ચર અને મણકામાં ફેક્ચર હતું, એસ્પિરેસન ન્યૂમોનિયા...