મોરબી તાલુકાના પંચાસર ગામે ખેતરમાં રહેલાં ઢગલો કરેલા એરંડા માં આગ લગાડવાનો બનાવ બનતા આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી
જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકના પંચાસર ગામમાં જામભા ઉમેદસિંહ જાડેજાની વાડીમાં એક ઓરડીમાં રહેતાં હીરાભાઇ ભનાભાઈ પરમારે વિઘોટી માં રાખેલ 60 વિઘા ખેતરમાં વાવેલ 900 મણ એરેંડાના પાક તૈયાર થઇ ગયેલ હોવાથી તેની કાપની કરી ઢગલા ખેતરમાં રાખેલા હતા.દરમિયાન રવિવારે બપોરના સમયે આરોપી ભવાનસિહ અલુભા ઝાલા અને ભુરૂભા સુરુભાઝાલા નામના શખ્સોએ અંગત અદાવત રાખી ખેતરમાં તૈયાર પાક રૂ 1.26 લાખના સળગાવી નાખ્યો હતો અને હીરાભાઈ પરમારને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આરોપી ભવાનસિંહ અલુભા ઝાલા અને ભુરૂભા સુરુભા ઝાલા વિરુદ્ધ ગુન્હો નોધી આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી અંગે પીએસઆઈ વીકે કોથીયા તપાસ ચલાવી રહ્યા છે.
સરકાર તરફથી મંજૂરી છતાં પણ તંત્રની ઢીલાશથી મોરબીની પ્રજા એફએમ સુવિધાથી વંચિત, રાજકોટમાં ધૂળ ખાતી મશીનરી, સુસ્ત તંત્ર સામે જનમાનસમાં રોષ.
મોરબી શહેરને એફએમ રેડિયો માટે જરૂરી તમામ મંજૂરી મળી ચુકી છે અને મશીનરી, ટાવર સહિતનો સામાન પણ રાજકોટ સ્ટેશન ખાતે આવી ગયો છે. છતાં સ્થળ ફાળવણી અને સંકલનના અભાવે...
મોરબી: 8 જુલાઈ, 2025 મંગળવાર ના રોજ રાત્રે 78 વર્ષના દર્દી આયુષ હોસ્પિટલ માં ઈમરજન્સી વિભાગ માં આવ્યા, ત્યારે ડૉ. સત્યજીસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા જણાવ્યું કે એમનું જમણી બાજુ નું હૃદય ફેઈલ થયું છે અને જમણી બાજુ નું હૃદય પહોળું થયું છે. ફેફસા માં ઇન્ફેકશન ફેલાયેલું છે, ફેફસા...
મોરબી શહેરમાં શેરીએ અને નાકે દેશી વિદેશી દારૂના ઠેકા ચાલી રહ્ય હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મોરબીના કન્યા છાત્રાલય રોડ પર ચંદ્રેશનગરમા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૩૭ બોટલ કિં રૂ. ૯૦૮૦ નાં મુદામાલ સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી...