મોરબી: એક રહેણાંક મકાનને તસ્કરે નિશાન બનાવી અધધધ 1100 ગ્રામ સોનુ અને રૂ. 15 લાખ રોકડાની તસ્કરીને અંજામ આપ્યો છે. જો કે ચોકીદારી કરતો શખ્સ પણ ગાયબ હોય, શંકાના દાયરામાં આવ્યો છે.હાલ આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે.
મોરબી કાયાજી પ્લોટ મેઈન રોડ ઉપર રહેતા હિમાંશુભાઈ ચંદ્રકાંતભાઈ ચંડીભમર પરિવાર સાથે ગઇકાલે રાજકોટ પ્રસંગમાં ગયા હતા. તેઓ આજે ઘરે પરત આવ્યા હતા. જે દરમીયાન તેઓને માલુમ પડ્યું કે ઘરમાં ચોરી થઇ હતી. ચોર 1100 ગ્રામ સોનાના દાગીના અને રૂ. 15 લાખ રોકડા ઉઠાવી ગયા હતા. આ સાથે ચોર સીસીટીવીનું ડીવીઆર પણ પોતાની સાથે લઈ ગયાનું ધ્યાને આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે પ્રસંગમાં જવાનું હોય પરિવારે લોકરમાંથી દાગીના કાઢ્યા હતા. પણ તે દાગીના ઘરે જ રહી ગયા હોય, ચોરે મોકો જોઈને ઘરને નિશાન બનાવ્યું હતું. ઉપરાંત હાલ ઘરની ચોકીદારી કરતો શખ્સ પણ ઘરે હાજર ન હતો એટલે તે શંકાના દાયરામાં છે. હાલ આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...