મોરબી: મોરબી લીલાપર રોડ બોરીયાપાટી નજીક ઈન્ડેઝ ટાવરના વંડાની દિવાલનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી ટાવર પાસે રહેલ કીલોસ્કર કંપનીનું ૧૫ કેવી.નુ જનરેટર કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદના ધનશ્યામપુર (ગોરી) માં રહેતા અશોકભાઇ પાલજીભાઈ રાઠોડ (ઉ.વ.૩૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા ૧૯-૧૨-૨૦૨૨ થી ૨૪-૧૨-૨૦૨૨ ની વચ્ચે કોઈપણ સમયે આરોપીઓએ ફરીયાદીના ઇન્ડેઝ ટાવરના વંડાની દિવાલનો દરવાજો ખોલી ગેરકાયદેસર રીતે અંદર પ્રવેશ કરી ટાવર પાસે રહેલ કીલોસ્કર કંપનીનુ ૧૫ કેવી.નુ જનરેટર (ડી.જી) કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- ની અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા હોવાની અશોકભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૭૯,૪૪૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભારતીય સંસ્કૃતિ એ મહાન સંસ્કૃતિ છે, આ ભારત ભુમિ પર રામ અને કૃષ્ણ જેવા અવતારી પુરૂષોએ જન્મ ધારણ કર્યા છે, તેથી આ ભૂમિ પાવન બની છે, પવિત્ર બની છે, ભારતની આ પાવન ભૂમિ પર યુગોથી કથાઓ થતી આવી છે, કથામાં તત્વ અને અમૃત એવું રહેલું છે રોજ રોજ આ...
વાંકાનેર થયેલ છેતરપિંડીના ગુન્હાની તપાસ કરી છેતરપિંડીમા ગયેલ રકમ રીકવર કરી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મૂળ માલિકને પરત કરવામાં આવેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા છેતરપિંડીનો ગુન્હો રજીસ્ટર થયેલ હતો. જે ગુન્હામાં ફરીયાદીની બોન્ઝા વિટ્રીફાઇડ કંપનીનુ બોગસ ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ભારત સરકારના આઇસગેટ પોર્ટલમાં આ ઇમેઇલ...
મોરબી: આયુષ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી દ્વારા જન્મેલા નવજાત બાળકને જન્મ સમયે શ્વાસની ગંભીર તકલીફ હતી. તાત્કાલિક બાળકને વેન્ટિલેટર તથા ઇન્ક્યુબેટરમાં રાખી વિશેષ સારવાર આપવામાં આવી. તપાસ દરમિયાન એક્સ-રેમાં જન્મજાત ન્યુમોનિયા તથા લોહીના રિપોર્ટમાં ચેપ વધુ હોવાનું નિદાન થયું. બાળકને 12 દિવસ વેન્ટિલેટર પર અને બાદમાં 3–4 દિવસ ઓક્સિજન સપોર્ટ...