મોરબી: વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે! ગૃહમંત્રી કરશે ઉદ્દઘાટન
મોરબી: શ્રી મ. જી. મહેતા સરસ્વતી પ્રાથમિક વિધામંદિર દ્વારા નવરંગ-૨૦૨૩’ યોજાશે જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ખાસ હાજરી આપશે.
દેવદુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો છે. આપણો દેહ પંચ મહાભૂતનો બનેલો છે. શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને ચિતનો વિકાસ કરીને આપણે પરિવાર, સમાજ, રાષ્ટ્ર, વિશ્વ તથા પ્રકૃતિ માનવ બનાવવાનો પ્રયત્ન શિક્ષણનાં માધ્યમથી કરીએ છીએ.શિક્ષણમાં સંસ્કૃતિનું ખૂબ મહત્વનું સ્થાન છે. આપણાં વિદ્યાલયનાં સાંસ્કૃતિક કાર્યક્રમો એક પ્રકારેઆપણી સંસ્કૃતિનું દર્શન છે. કાર્યક્રમોનાં માધ્યમથી વિદ્યાર્થી સંસ્કૃતિને અનુરૂપ જીવન જીવતા થાય તેવા પવિત્ર હેતુથી વિદ્યાલયનો સાંસ્કૃતિક કાર્યક્રમ‘નવરંગ-૨૦૨૩’ નિહાળવા તથા માણવા આપ સહપરિવારને ભાવભર્યું નિમંત્રણ વિદ્યામંદિર તરફ થી આપવમાં આવ્યું છે.
જેમાં હર્ષભાઈ સંઘવી (ગૃહમંત્રી-ગુજરાત રાજય)નાં હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે તેમજ અતિથિ વિશેષ તરીકે દુર્લભજીભાઈ દેથરિયા (ધારાસભ્ય-ટંકારા પડધરી) હાજર રહેશે.
આ કાર્યક્રમ તારીખ : ૨૦-૦૪-૨૦૨૩, ગુરૂવાર સમય : રાત્રે ૦૮:૦૦ કલાકે સ્થળ : પટેલ સમાજવાડી, શકત શનાળા ખાતે યોજાશે.