મોરબી: શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણીતાએ ફરીયાદ નોંધાવી
મોરબી: માળીયાના જુનાં ઘાટીલા ગામેની દિકરી મોરબીમાં સાસરે હોય અને હાલ ભરૂચમાં રહેતા હોય ત્યા સાસરીયા પક્ષ દ્વારા ઘરકામ બાબતે મેણા ટોણા મારી તેમજ શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપી આપતા હોવાની ભોગ બનનાર પરણીતાએ આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના જુના ઘાટીલા ગામે અંજનાબેન ધવલભાઈ કાવર (ઉ.વ.૩૦)એ આરોપી ધવલભાઇ દુર્લભજીભાઇ કાવર (પતિ), દુર્લભજીભાઇ પ્રભુભાઇ કાવર (સસરા), મુકતાબેન દુર્લભજીભાઇ કાવર (સાસુ) રહે- અમૃતપાર્ક સોસાયટી ગોપાલ સોસાયટી પાછળ સામાકાઠે મોરબી -૨ રહે હાલ સરસ્વતી ટાઉનશીપ બી-૭-૦૦૧ દહેજ જી. ભરૂચ વાળા વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫-૦૩-૨૦૧૬ ના ચાર પાંચ મહિના બાદથી ફરીયાદીને અવાર નવાર ઘરકામ બાબતોમા મેણાટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપી મારકુટ કરતા હોય અને ફરીયાદીના પતિને ખોટી ચડામણી ત્રણેય જણા કરતા હતા. આ બનાવ અંગે પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૪૯૮(ક), ૩૨૩,૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.