મોરબીમાં વિકાસ પામેલા વિશ્વ વિખ્યાત સિરામિક એસોના વોલ ટાઈલ્સ વિભાગના પ્રમુખની ચુંટણી માટે ત્રણ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી જેમાં એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધા બાદ અન્ય એક હરીફ ઉમેદવારે હરેશભાઈ બોપલીયાને સમર્થન આપતા હરેશભાઈ બોપલીયા બિનહરીફ ચૂંટાયા છે
મોરબી સિરામિક વોલ ટાઈલ્સ એસોના પ્રમુખ તરીકે નીલેશભાઈ જેતપરિયાનો કાર્યકાળ પૂર્ણ થતા તેઓએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું જેથી પ્રમુખ પદની ચુંટણી માટે હરેશભાઈ બોપલીયા, ચતુરભાઈ પાડલીયા અને પ્રદીપભાઈ કાવઠીયાએ ઉમેદવારી નોંધાવી હતી અને ચુંટણી માટે ત્રણ ફોર્મ ભરાયા બાદ ચતુરભાઈ પાડલીયાએ ઉમેદવારી પરત ખેંચી હતી તો પ્રદીપભાઈ કાવઠીયાએ હરેશભાઈ બોપલીયાના સમર્થનમાં દાવેદારી પરત ખેંચી લેતા વોલ ટાઈલ્સ એસો પ્રમુખ તરીકે હરેશભાઈ બોપલીયા બિનહરીફ વિજેતા જાહેર થયા છે ત્યારે સિરામિક એસોના હોદેદારો અને સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...