મોરબીમાં વિકાસ પામેલા વિશ્વ વિખ્યાત સિરામિક એસોના વોલ ટાઈલ્સ વિભાગના પ્રમુખની ચુંટણી માટે ત્રણ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી જેમાં એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધા બાદ અન્ય એક હરીફ ઉમેદવારે હરેશભાઈ બોપલીયાને સમર્થન આપતા હરેશભાઈ બોપલીયા બિનહરીફ ચૂંટાયા છે
મોરબી સિરામિક વોલ ટાઈલ્સ એસોના પ્રમુખ તરીકે નીલેશભાઈ જેતપરિયાનો કાર્યકાળ પૂર્ણ થતા તેઓએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું જેથી પ્રમુખ પદની ચુંટણી માટે હરેશભાઈ બોપલીયા, ચતુરભાઈ પાડલીયા અને પ્રદીપભાઈ કાવઠીયાએ ઉમેદવારી નોંધાવી હતી અને ચુંટણી માટે ત્રણ ફોર્મ ભરાયા બાદ ચતુરભાઈ પાડલીયાએ ઉમેદવારી પરત ખેંચી હતી તો પ્રદીપભાઈ કાવઠીયાએ હરેશભાઈ બોપલીયાના સમર્થનમાં દાવેદારી પરત ખેંચી લેતા વોલ ટાઈલ્સ એસો પ્રમુખ તરીકે હરેશભાઈ બોપલીયા બિનહરીફ વિજેતા જાહેર થયા છે ત્યારે સિરામિક એસોના હોદેદારો અને સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી છે
આવતી કાલે તારીખ ૦૬-૦૮- ૨૦૨૫ ના બુધવાર નાં રોજ PGVCLના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી કાલીકા પ્લોટ ફીડર સવારે ૦૭:૩૦ વાગ્યા થી બપોરના ૦૩:૩૦ વાગ્યા સુધી નવી લાઈનકામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી તેમજ મેન્ટેનસના કામ માટે વિજ પુરવઠો બંધ રહેશે.
જેમાં શ્યામ પાર્ક, હીરાસરીના માર્ગ...
મોરબી જીલ્લાના કાર્યરત એવા મોરબી જીલ્લા વકીલ મંડળના પુર્વપ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા સંચાલીત એસોસીએટમાં આરતીબેન એડવોકેટ તરીકે કાર્યરત છે જેને ગુજરાત સરકાર દ્વારા મોરબી જીલ્લા કલેકટર કચેરી દ્વારા કાયદાના સલાહકાર તરીકે નીમણુક આપવામાં આવે છે.
આ ખુશીના સમાચારથી સમ્રગ અગેચાણીયા એસોસીએટ ના સીનીયર તથા જુનીયર વકીલ દીલીપભાઈ અગેચાણીયા(પુર્વ પ્રમુખ મોરબી બાર...