નવલખી રોડ પર આવેલા રણછોડનગર સોસાયટીમાં આવેલા ત્રીમંદીર જેવાકે શ્રીસાઈ બાબા, શ્રીહનુમાનજી, તથા શિવજી મંદિરની પવિત્ર જગ્યામાં શ્રી સાઈ બાબા મંદીરનો 16મો પાટોત્સવ ઉજવાયો.
આ પટોત્સવ માં મોરબી નાં પનોતા પુત્ર અને માનવતા અને સેવાને વરેલા એવા લાયન્સ કલબ ઇન્ટરનેશલ સૌરાસ્ટ્ર કચ્છનાં દ્વિતીય વાઈસ ગવર્નર લા. રમેશભાઇ રૂપાલાનું મંદિરના પૂજારી તેમજ જગ્યાના મહંત બાબુભાઈ સાથે સેવકભાઈઓ દ્વારા સાલ તેમજ ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું સાથે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ લા.ત્રિભોવન ભાઈ સી ફૂલતરિયા સેક્રેટરી લા. કેશુભાઈ દેત્રોજાનું સાઈ બાબાના સોળમા પાટોત્સવ પ્રસંગે હોમાત્મક યજ્ઞ માં મહંતશ્રી બાબુભાઈ ની હાજરીમાં ભૂદેવોના હસ્તે તિલક ચંદન કરાવીને તેઓ અને તેમના સેવકો દ્વારા ફુલહાર અને સાલ ઓઢાડીને અદકેરૂ સનમાન કરવામાં આવ્યું સેવિકા બેનો દ્વારા લા. રશ્મિકાબેન રૂપાલાનું પણ સન્માન કરાયું આ સન્માન ના ભાવમાં સાઈમંદિરમાં ચાલતા અંનક્ષેત્રમાં રમેશભાઇ રૂપાલા તરફથી રૂ.૫૧૦૦/ નું તથા ચિત્રાહનુમાનજીધૂન મંડળ તરફથી રૂ.૫૧૦૦/ અને કેશુભાઈ ના સુપુત્ર ચંદ્રેશ દેત્રોજાના જન્મ દિવસ નિમિતે રૂ.૧૧૦૦/ નું અનુદાન આપ્યું.જગ્યા નાં મહંત પૂજારી દ્વાર આશિર્વચન પાઠવેલ
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...