હળવદ તાલુકાની માનગઢ, નવી જોગડ, જુના માલણીયાદ, બુટવડાની સરકારી પ્રાથમિક શાળાઓના એક હજારથી વધુ બાળકોને રણ કાંઠાની અસહ્ય ગરમીમાં ઠંડુ અને શુદ્ધ પાણી મળી રહે એવા હેતુથી રોટરી ક્લબ ઓફ હળવદ અને લાયોનેશ ક્લબ ઓફ કિંગ્સ સર્કલ, મુંબઈના સંયુક્ત ઉપક્રમે દાતાશ્રી ધીરજલાલ મોરારજી અજમેરા ચેરિટી ટ્રસ્ટ, મુંબઈના આર્થિક સૌજન્યથી કુલર તેમજ ફિલ્ટર ફિટ કરી આપવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર સરકારે જેમને પાણી વાલી બાઈ તરીકેનું બિરુદ આપી સન્માનિત કરેલ છે અને અત્યાર સુધીમાં એમના દ્વારા વિવિધ જગ્યાએ 140 જેવા પરબો બનાવેલ છે એવા મયુરિકાબેન જોબાલીયાના વરદ હસ્તે ચારેય શાળાના પરબોનું રીબીન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવેલ.
લાય. જ્યોતિબેન મહેતા અને રોટે. રાજેન્દ્રસિંહ રાણાના પ્રમુખ કાર્યકાળમાં આ પ્રોજેક્ટનું આયોજન થયુ હતું.પ્રોજેક્ટ ચેરમેન લાય. મયુરિકાબેન જોબાલિયા અને પ્રોજેક્ટ ચેરમેન રોટે. ગજેન્દ્રભાઈ મોરડીયાની જહેમતથી આ પ્રોજેક્ટ સફળ થયો હતો.દરેક શાળાના આચાર્યો તેમજ સ્ટાફ મિત્રોનો ખૂબ સાથ સહકાર સાંપડ્યો હતો.
રોટરી હળવદ દ્વારા અગાઉ ગોલાસણ, નવા કડીયાણા, રાયધરા, શાળા નંબર-૪ હળવદ , મંગળપુર, કેજીબીવી હોસ્ટેલ મેરૂપર,દરબાર નાકે, વૈજનાથ મંદિર, ટીબી હોસ્પિટલ સુરેન્દ્રનગર જેવી જગ્યાઓ ઉપર લાયોનેશ કલબ, અન્ય દાતાઓ અને મયુરીબેનના સાથ, સહકારથી પાણીના કુલ 13 સુંદર પરબો બનાવેલ છે.
આ કાર્યક્રમમાં નરભેરામભાઈ અઘારા, જનકબેન અઘારા, સુરેશભાઈ પટેલ, મીનાબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
ગત વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ...
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી 2025 પશુ પકડેલ છે. વિવિધ વિસ્તારમાંથી રખડતા ઢૌર પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે.
તદુપરાંત પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 178 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે. 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ...