મોરબી: મોરબી તાલુકાના ભરતનગર ગામે ધૂળેટીના પાવન પર્વે એક દિવ્યાંગ વ્યક્તિના જીવનમાં રંગોરૂપી આશા પ્રગટે અને સમાજમાં તેના માટે ભાવ થાય અને પોતાનું કાર્ય સારી રીતે કરી શકે તે હેતુથી લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા ગરીબ પરિવારના આ દિવ્યાંગ વ્યકિતને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી.
આ પ્રસંગે લાયન્સ ક્લબ ઇન્ટરનેશલ સૌરાષ્ટ્ર કચ્છના દ્વિતીય વાઈસ ગવર્નર લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના રમેશભાઈ રૂપાલા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા ખજાનચી લા. ટી સી ફૂલતરિયા તેમજ પ્રોજેક્ટ ચેરમેન લા. મહાદેવભાઇ ચીખલીયા તેમજ ગ્રામજનોની હાજરીમાં સાયકલ અર્પણ કરવામાં આવી હતી અને આમ ધૂળેટી પર્વની ઉજવણી દિવ્યાંગ ભાઈને સાયકલ આપી સાર્થક કરવામાં આવી.
અમદાવાદ: દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમીની વચ્ચે જ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે. હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 23 મે 2026 ના રોજ આગળ વધીને અરબી સમુદ્ર, કોમોરિન પ્રદેશ, બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રના મોટાભાગના વિસ્તારોને આવરી ચૂક્યું છે.
આગામી 3-4 દિવસમાં ચોમાસું વધુ આગળ વધવા...
સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા બ્રહ્મ સમાજ અંગે કરવામાં આવેલી એક વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે સમગ્ર ગુજરાતમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. કચ્છના માંડવીમાં આયોજિત ‘વૃંદાવન સેવા અમૃત મહોત્સવ’ દરમિયાન સ્વામીએ મંચ પરથી નિવેદન આપ્યું હતું કે, “જો બ્રહ્મ સમાજ તમારી પાસે ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ...
જરાત સરકાર દ્વારા સરકારી ખર્ચમાં ઘટાડો કરવા અને ઇંધણની બચત માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડીને ૧૧ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ, સામાન્ય વહીવટ વિભાગે તમામ સરકારી કચેરીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે.
પરિપત્રની મુખ્ય...