પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી પર્વે યોજાયેલા વિવિધ આયોજનોની એક ઝલક
આજે સાંજે ૫.૦૦ વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પધારશે. નગરના વિરાટ પ્રવેશદ્વાર પાસે ઉદ્ઘાટન સમારોહનું ભવ્ય આયોજન થયું છે. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પાવન નિશ્રામાં નરેન્દ્રભાઈ મોદીના હસ્તે નગરનું ઉદ્ઘાટન થશે. આ પ્રસંગે બાળકો દ્વારા સ્વાગત નૃત્ય અને સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ કરવામાં આવશે.
‘બીજાના ભલામાં આપણું ભલું છે. બીજાના સુખમાં આપણું સુખ છે.’ આ જીવનમંત્ર હતો પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો. સમાજની સદા ચિંતા કરનાર આ વિરલ સંતવિભૂતિએ અસંખ્ય લોકોને જીવનનો સાચો રાહ ચીંધીને સુખની અનુભૂતિ કરાવી છે. પ્રમુખસ્વામી મહારાજે પોતાનાં ૯૫ વર્ષના જીવનકાળ દરમિયાન સતત વિચરણ કરીને દેશ-વિદેશના અનેક પરિવારોને તૂટતા બચાવ્યા હતા, લાખોને વ્યસનમુક્ત કર્યા હતા, સાથે જ પર્યાવરણ જાગૃતિનાં મહાન કાર્યો કર્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત એક વર્ષથી પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અનેક સામાજિક પ્રવૃત્તિઓ બી. એ. પી. એસ. સંસ્થા દ્વારા હાથ ધરાઈ હતી. સમાજના પ્રત્યેક વ્યક્તિ સુધી પ્રમુખસ્વામી મહારાજના હિતકારી પારિવારિક સંદેશનું પ્રસારણ કરવાનો આદેશ સંસ્થાના વર્તમાન વડા પ.પૂ.મહંતસ્વામી મહારાજે આપ્યો હતો. તેના ફળસ્વરૂપે વિરાટ વિશ્વવ્યાપી આયોજન થયું હતું.
તેમાં એક હતું – પારિવારિક શાંતિ અભિયાન. લોકહૃદયમાં વિશિષ્ટ સ્થાન અંકિત કરનાર પારિવારિક શાંતિ અભિયાનની વ્યાપકતાની આંકડાકીય માહિતી અહીં પ્રસ્તુત છે: ૩૧ જાન્યુઆરી, ૨૦૨૨ થી ૧૫ એપ્રિલ, ૨૦૨૨ સુધી- ૧૭ રાજ્યોમાં યોજાયું પારિવારિક શાંતિ અભિયાન.
મોરબી જિલ્લા ટ્રાફીક પોલીસ ક્યારે જાગશે ?અકસ્માત થાય ત્યારે તંત્ર અકસ્માત થાય તેની રાહ જોવે તેવો ઘાટ ક્યારે કરશે કાર્યવાહી?
મોરબી ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રક ચાલકોનો આડેધડ પાર્કિંગ કરીને અડીંગો જમાવી અન્ય નાના વાહન ચાલકો માટે મોતને આમંત્રણ આપવા આડેધડ ટ્રકો પાર્ક કરીને બેફામ બન્યા છે ત્યારે જિલ્લા ટ્રાફીક...
ટંકારા સિમ વિસ્તારમાં રાઘવજીભાઈ છાત્રોલાની વાડીએ કુંડીમાં પડી ડૂબી જતાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા મુકેશભાઈ રાઘવજીભાઈ છાત્રોલાની વાડીએ રહેતા નારાયણભાઈ ડાવર નો ત્રણ વર્ષનો પુત્ર વીકીભાઈ વાડીએ કુંડીમાં પડી ડૂબી જતાં વીકીભાઈ નામના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું....
મોરબીના રવાપર રોડ પર રહેતી મહિલાએ એકલવાયા જીવનથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ દ્વારકા જીલ્લાના રોજડા ગામના વતની અને હાલ મોરબીના રવાપર - ઘુનડા રોડ પર રહેતા જીજ્ઞાસાબેન નટવરલાલ મોઢા (ઉ.વ.૫૨) ના પતી છેલ્લા ૩૦ વર્ષથી દુબઇ ખાતે નોકરી કરી રહેતા અને...