મોરબી : મોરબી પી.જી.વી.સી.એલ. દ્વારા એક પ્રેસનોટમાં જણાવ્યું છે કે હાલમાં વિષમ પરિસ્થિતિના કારણે વીજળીના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાથી વીજખાધને ધ્યાનમાં રાખીને કરારિત વીજભારની મર્યાદામાં વીજ વપરાશ કરવાની તકેદારી રાખવા ગ્રાહકોને અપીલ કરાઈ છે.
અને કરારિત વીજભાર કરતા વધારે વીજ વપરાશ કરનાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરાશે.
વીજ તંત્રના જણાવ્યા મુજબ હાલમાં પાવર સપ્લાયની પોઝીશન ખૂબ જ કટોકટી ભરેલી છે. જેના મુખ્ય કારણોમાં વિન્ડફાર્મ છે. એટલે કે પવનચક્કીથી ઉત્પન્ન થતી વીજળી વિપરીત હવામાનને હિસાબે ન્યુનત્તમ વીજ ઉત્પાદન આપે છે તેમજ આંતરરાષ્ટ્રીય વિપરીત પરિસ્થિતિને કારણે વીજ ઉત્પાદનમાં ઇંધણ આધારિત અવરોધો પણ મહદઅંશે કારણભુત છે. જેના કારણે હાલમાં વીજ પુરવઠો અને વીજ માંગ વચ્ચે ખુબ જ વીજખાધ ઉભી થવા પામેલ છે. જેને ધ્યાને રાખી પી. જી. વી. સી. એલ. મોરબીના માનવંતા ગ્રાહકોનેઅપીલ કરવામાં આવેલ છે.મુજબ વીજ જોડાણમાં કરારિત વીજભારની મર્યાદાની અંદર જ વીજ વપરાશ કરવાની તકેદારી રાખવા તેમજ શક્ય હોય તો બિનજરૂરી વીજ વપરાશ/ વેડફાટ ટાળવા તથા વીજ બચત કરવા અનુરોધ કરવામાં આવેલ છે. જે ગ્રાહકો કરારિત વિજભાર કરતા વધારે વીજ વપરાશ કરતા માલુમ પડશે તો ન છૂટકે કંપનીનાં પ્રવર્તમાન નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવાની ફરજ પડશે. તેમ વી. એલ. ડોબરીયા (અધિક મુખ્ય ઈજનેર, પી.જી.વી.સી.એલ., વર્તુળ કચેરી, મોરબી)ની યાદીમાં જણાવાયું છે.
આજે ધોરણ 1 થી 5 વાળી શાળા શ્રી કાંતિપુર પ્રા. શાળામાં ધોરણ 5 ના બાળકોનો દીક્ષાંત સમારોહ યોજાયો. જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કર્યા બાદ ધોરણ 5 ના દરેક બાળકોએ પોતાના શાળા સમય દરમિયાનના અનુભવો જણાવ્યા.
ત્યારબાદ શાળાના આચાર્ય સંજયભાઈ ગઢવી એ એક પ્રેરણાદાયી અને વિદાય ગીત રજુ કર્યું જે સાંભળી...
કોઈ જાણકારી મળે તો તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મુજબ મરણ જનાર એક અજાણ્યો પુરૂષ ઉમર વર્ષ આશરે ૪૦ વર્ષ વાળો તા-૨૮/૦૪/૨૦૨૫ ના બપોર ના ૧૩:૧૦ કલાક પહેલા મોરબીના લગ્ધીરપુર રોડ એન્ટીક સીરામીક તથા પોર્સીપોસ વેરહાઉસ વચ્ચે આવેલ માટીના ઢગલા પાસે કોઈપણ કારણસર મરણ જતા રાજકોટ...