મોરબી : મોરબી પી.જી.વી.સી.એલ. દ્વારા એક પ્રેસનોટમાં જણાવ્યું છે કે હાલમાં વિષમ પરિસ્થિતિના કારણે વીજળીના ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાથી વીજખાધને ધ્યાનમાં રાખીને કરારિત વીજભારની મર્યાદામાં વીજ વપરાશ કરવાની તકેદારી રાખવા ગ્રાહકોને અપીલ કરાઈ છે.
અને કરારિત વીજભાર કરતા વધારે વીજ વપરાશ કરનાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરાશે.
વીજ તંત્રના જણાવ્યા મુજબ હાલમાં પાવર સપ્લાયની પોઝીશન ખૂબ જ કટોકટી ભરેલી છે. જેના મુખ્ય કારણોમાં વિન્ડફાર્મ છે. એટલે કે પવનચક્કીથી ઉત્પન્ન થતી વીજળી વિપરીત હવામાનને હિસાબે ન્યુનત્તમ વીજ ઉત્પાદન આપે છે તેમજ આંતરરાષ્ટ્રીય વિપરીત પરિસ્થિતિને કારણે વીજ ઉત્પાદનમાં ઇંધણ આધારિત અવરોધો પણ મહદઅંશે કારણભુત છે. જેના કારણે હાલમાં વીજ પુરવઠો અને વીજ માંગ વચ્ચે ખુબ જ વીજખાધ ઉભી થવા પામેલ છે. જેને ધ્યાને રાખી પી. જી. વી. સી. એલ. મોરબીના માનવંતા ગ્રાહકોનેઅપીલ કરવામાં આવેલ છે.મુજબ વીજ જોડાણમાં કરારિત વીજભારની મર્યાદાની અંદર જ વીજ વપરાશ કરવાની તકેદારી રાખવા તેમજ શક્ય હોય તો બિનજરૂરી વીજ વપરાશ/ વેડફાટ ટાળવા તથા વીજ બચત કરવા અનુરોધ કરવામાં આવેલ છે. જે ગ્રાહકો કરારિત વિજભાર કરતા વધારે વીજ વપરાશ કરતા માલુમ પડશે તો ન છૂટકે કંપનીનાં પ્રવર્તમાન નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવાની ફરજ પડશે. તેમ વી. એલ. ડોબરીયા (અધિક મુખ્ય ઈજનેર, પી.જી.વી.સી.એલ., વર્તુળ કચેરી, મોરબી)ની યાદીમાં જણાવાયું છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા ફેકટરીઓમાં તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામદારો/શ્રમિકોના પૂર્વ ઈતિહાસ, નાગરિકતા અને ઓળખ નક્કી થઈ શકે...
મોરબી જિલ્લા પાણી પુરવઠા વિભાગના સઘન પ્રયાસોથી હળવદ તાલુકાના પાંડાતિરથ ગામનો મોરબી જિલ્લાની હળવદ તાલુકા પાણી પુરવઠા વિભાગની એન.સી.ડી-૪ પાણી પુરવઠા યોજના અંતર્ગત સમાવેશ કરી જૂથ યોજનાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે.
પાંડાતિરથ ગામની હાલની વસ્તી અંદાજીત ૧૬૦૦ જેટલી છે. આ ગામમાં ભૂગર્ભ સંપ અને ઉંચી ટાંકી મળીને કુલ ૧,૭૦,૦૦૦ લીટર...