ચાલુ વર્ષ 2021-22નું શૈક્ષણિક સત્ર 7 જૂન, 2021થી શરૂ થયું હતું. આ વખતે પણ 35 દિવસનું ઉનાળુ વેકેશન આપવામાં આવશે.
ગુજરાત સરકારે કહ્યું કે, રાજ્યમાં શાળાઓમાં 35 દિવસના ઉનાળા વેકેશનનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળા વેકેશનની શરૂઆત 9 મેથી થશે અને 12મી જુન શાળાઓમાં રજા રહેશે.13મી જુનથી ફરી શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે અને નવા સત્રનો પ્રારંભ થશે.
નિયામક કચેરીએ પરિપત્ર દ્વારા જણાવ્યું છે કે, તમામ ડીઈઓ-ડીપીઈઓએ સંકલનમાં રહી વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. જેથી તમામ સ્કૂલોમાં એક સાથે જ વેકેશન જાહેર થાય. જેથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ૯મી મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવાનું રહેશે
ચાલુ વર્ષે ભારતમાં આબોહવા અને ઋતુચક્રમાં એક મોટો તથા ચિંતાજનક બદલાવ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જે કાળઝાળ ગરમી એપ્રિલ કે મે મહિનામાં અનુભવાતી હોય છે, તેણે આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં જ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં...
રાજકોટ શહેર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકીય માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. આ ચૂંટણી જંગમાં મજબૂત દાવેદારી નોંધાવવાના હેતુથી આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પોતાની સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે પાર્ટી દ્વારા તાજેતરમાં રાજકોટના તમામ વોર્ડ માટે સઘન ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં...
મારુતિનગર પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્રોજેક્ટ અંતર્ગત શાળા સલામતી અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ, પૂર, ભૂકંપ જેવી આપત્તિઓ સમયે કેવી રીતે સાવચેત રહેવું અને સુરક્ષિત રીતે વર્તવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમના ભાગરૂપે શાળા પરિસરમાં ફાયર ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું, જેમાં...