હનુમાન જયંતી એક મહત્વપુર્ણ હિન્દુ તહેવાર છે. તે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન હનુમાનજીનો જન્મ આ દિવસે થયો હોવાનું માનવામાં આવે છે. હનુમાનજીને કલિયુગમાં સૌથી પ્રભાવશાળી દેવતા ગણવામાં આવે છે. ભગવાન શ્રીરામ ભક્ત હનુમાનજીની જન્મજયંતિ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે મોરબી નજીક આવેલા વિરપડા ગામે તારીખ 6 એપ્રિલના રોજ હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે સાદરીયા પરિવાર નાં સ્વયંભૂ પ્રાગટ્ય હનુમાનજી મંદિર ખાતે સાદરીયા પરિવાર નું સ્નેહ મિલન અને હોમ હવન સહિત ભજન કીર્તન જેવાં ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે
સવારે 7:00 હોમ હવન બપોરે મહાપ્રસાદ નું આયોજન અને બપોરના 3:30 કલાકે બીડુ હોમવાનું તેમજ રાત્રે 8:00કલાકે સુંદર કાંડ નાં પાઠ કરવામાં આવશે આ ત્રિવિધ કાર્યક્રમમાં સહુ સાદરીયા પરિવારે ઉપસ્થિત રહેવા યાદી માં જણાવ્યું છે
હળવદ BRC ભવન ખાતે યોજાયેલા જિલ્લા કક્ષા કલા ઉત્સવ–2025 માં નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પોતાની અનોખી પ્રતિભા અને આત્મવિશ્વાસથી સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું. ગાયન, વાદન, ચિત્રકલા અને કાવ્યરચના જેવી સ્પર્ધાઓમાં નવયુગના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી Top-3માં સ્થાન મેળવી શાળાની કલાત્મક પરંપરાને નવી ઊંચાઈ આપી હતી.
ખાસ કરીને ભીમાણી પ્રિશા...
મોરબીમાં ગુજરાત રાજ્યની પરંપરાગત સ્વાસ્થ્યપ્રદ વાનગીઓની થીમ સાથે કુકિંગ કોમ્પિટિશન યોજાઈ
પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા મોરબી ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત વિવિધ વાનગીઓ બનાવી સ્પર્ધા યોજાઈ
મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય?વધુમાં...