મોરબી પીજીવીસીએલની યાદીમાં જણાવ્યું છે કે સમગ્ર રાજ્યના ઓદ્યોગિક એકમોમાં કોઈપણ જાતનો વીજકાપ/ લોડ શેડિંગ કરવામાં આવેલ નથી પરંતુ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઓદ્યોગિક એકમો દ્વારા ખાસ કરીને રવિવારે રજા રાખવામાં આવતી હોય છે
જેથી રવિવારના દિવસે ઓદ્યોગિક વીજ માંગમાં ઘટાડો જોવા મળે છે જયારે સપ્તાહના અન્ય દિવસોમાં માંગમાં વધારો રહે છે પરંતુ રાજ્યના બિન સતત પ્રક્રિયા ધરાવતા એચ.ટી. એલ.ટી. ઓદ્યોગિક એકમો જે અઠવાડિયે ખાસ કરીને મોરબી જિલ્લાને બુધવારે સ્ટેગર ડે (અઠવાડિક રજા) નક્કી કરવામાં આવેલ છે જેથી સમગ્ર રાજ્યના ગ્રીડ સંતુલન જાળવવામાં મદદરૂપ થશે
આમ, મોરબી જિલ્લાના તમામ ઔધોગિક એકમોને આપવામાં આવતા વીજ પુરવઠામાં કોઇપણ જાતનો વીજ કાપ/લોડ શેડીંગ મુકવામાં આવેલ નથી અને ૨૪X૭ અવિરત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પુરો પાડવામાં આવી રહેલ છે જેની વીજ ગ્રાહકોએ નોંધ લેવા પીજીવીસીએલ તંત્રની યાદીમાં જણાવ્યું છે
મોરબીના નાની વાવડી ગામે રહેતા રાજેશભાઈ નારાયણભાઈ મિયાત્રા (ઉ.વ.૪૩) નામના યુવકે પંચાસર ગામે મેલડી માતાજીના મંદિર પાસે કોઈ કારણસર ઝેરી દવા પી જતા રાજેશભાઈને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી...
મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટની સામેથી વેપારી યવકની સ્વીફ્ટ કાર એક શખ્સ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર -૩૦૧મા રહેતા કરણભાઈ અનિલભાઈ બારડ (ઉ.વ.૨૬) એ આરોપી...