હાલ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની અમદાવાદ ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર તૈયાર કરાયું છે.આ નગરમાં કુલ સાત પ્રવેશદ્વાર બનાવાયા છે. જેમાં મુખ્ય પ્રવેશદ્વાર એટલે સંત પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો છે આ ભવ્ય સંત પ્રવેશદ્વારને બનાવવા માટે એક વર્ષની મહેનત લાગી છે
આ સંત પ્રવેશદ્વારની કુલ 380 ફુટ લંબાઇ અને 35 ફુટ પહોળો તથા 51 ફુટ ઉંચો છે. સંત પ્રવેશદ્વાર પર કુલ 14 સંતોની 28 પ્રતિમાનું સ્થાપન કર્યુ છે. જેમાં શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, મુક્તાનંદ, ચૈતન્ય મહાપ્રભુ, ગૌતમબુદ્ધ, સંતરોહીદાસ, રામાનુજાચાર્ય, ગુરુનાનાક, સ્વામી વિવેકાનંદ, સંત તુલસીદાસજી, મીરાબાઇ, નરસિંહ મહેતા, મહાવીર સ્વામી, સંત કબીરની પ્રતિમાનો સમાવેશ થાય છે.
આ બધી પ્રતિમાઓ ધાતુની બનાવાઈ છે, જેથી તેને ફરીથી અન્ય કોઈ જગ્યાએ સ્થાપિત કરી શકાય.સનાતન હિન્દુ ધર્મના આ સંતોએ સમાજ ઘડતરનુ મોટું કાર્ય કર્યું છે. તેથી અમે પ્રવેશદ્વાર પર સંતોને સ્થાન આપ્યું છે. સંત દ્વારમાં બારીક કલાત્મક કોતરણી સહિત મોરની પ્રતિમા રખાઇ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ કુલ કી.રૂ.૧,૪૩,૬૭,૫૦૨/- ના વિદેશી દારૂના મુદ્દામાલનો વાંકાનેર પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો છે.
વાંકાનેર તાલુકા તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાન્યુઆરી-૨૦૨૫ થી જુલાઈ-૨૦૨૫ સુધીમાં અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળતા આજે...
મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે રોડના સર્વીસ રોડ ઉપર ચામુંડા હોટલ પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત થયેલ હોય જેથી આ બનાવ અંગે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા...
જો તમને આરટીઓ ઈ-ચલણની કોઈ APK ફાઈલ મળે તો તેને ઓપન કરતા પહેલા સો વખત વિચાર જો! કેમકે સાયબર ફ્રોડ કરનારાઓ દ્વારા છેતરપીંડીનો નવો રસ્તો અપનાવ્યો છે જેમાં ફાઈલ ઓપન કરતા જ તમારા ખાતામાંથી રૂપિયા કપાઈ જશે આવો જ કિસ્સો મોરબીમાં પણ સામે આવ્યો છે જેમાં મોરબીના ખેડૂતના વોટ્સએપ...