મોરબી: આજે મોરબી જીલ્લા ઉમિયા પરિવાર દ્વારા ૨૫મો સમુહલગ્ન મહોત્સવ યોજાયો હતો જેમાં ઉમા કળશ યોજના વિશે માહિતી આપી અને આ યોજનામાં જોડાવા માટે પાટીદાર સમાજને અનુરોધ કરવામાં આવ્યો હતો.
સમાજ ઉત્કર્ષના ભગીરથ કાર્ય માટે માઁ ઉમિયાના ચરણોમાં ‘તારુ તુજને અર્પણ’ના ભાવ સાથે માઁ ઉમા કળશ યોજના અંતર્ગત માઁ પધાર્યા મરે ઘેર’ના ભાવ સાથે આપણા ઘેર કળશનું સ્થાપન કરાશે. સ્થાપિત કળશમાં પરિવારના દરેક સભ્ય દીઠ દૈનિક ઓછામાં ઓછા એક રૂપિયાથી લઇ યથાશકિત રકમનું યોગદાન આપવાનું રહેશે. કળશની રકમ દર ૬/૧૨ મહીને રૂ. ૩૬૫/-ની પ્રિન્ટેડ પાકી પહોંચ આપી એકત્રિત કરવામાં આવશે. આ રકમ ઓનલાઈન બેંકમાં પણ જમા કરાવી શકાશે.
કળશ યોજનાની રકમ સમાજના ઉત્કર્ષ માટેના વિવિધ પ્રોજેક્ટ- યોજનામાં વપરાશે. મંદિર સંસ્થાનું બેંક બેલેન્સ વધારવાનો હેતુ નથી. ‘ટીપે ટીપે સરોવર ભરાય’ એ જ રીતે સૌ પાટીદાર પરિવારો એક થઈને એકતા અને અખંડિતતાના ઉદાહરણરૂપ માઁ ઉમા કળશ યોજનામાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે ઉમા કળશ યોજનાની રકમ સમાજના ઉત્કર્ષ માટેના વિવિધ પ્રોજેક્ટ- યોજનામાં વપરાશે. મંદિર સંસ્થાનું બેંક બેલેન્સ વધારવાનો હેતુ નથી. તથા પ્રતિવર્ષ આવક – જાવકની વિગત પ્રસિદ્ધ કરવામાં આવશે.
ઉમા કળશ યોજના થકી આપવામાં આવેલ આપનું અનુદાન કોઈ વિધવાના આંસુ લૂછવામાં મદદરૂપ થશે, કોઈ નિરાધારનું ભોજન બનશે, કોઈ વિદ્યાર્થીને વિદ્યાદાન મળશે, કોઈ જરૂરિયાતમંદ દર્દીની સારવાર બનશે. યાત્રાળુઓની સુવિધામાં વધારો કરશે.
તેમજ કળશ યોજના નિધિનો ઉપયોગ આરોગ્ય સહાય, આરોગ્ય પ્રવૃત્તિઓ, શિક્ષણ સહાય, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વિધવા, ત્યકતા, નિરાધાર, અનાથને સહાય, વૃક્ષ ઉછેર, જળસંચય, સ્વચ્છતા જેવા પર્યાવરણ કાર્યક્રમો, કૃષિ માર્ગદર્શન શિબિર, કૃષિકાર કલ્યાણ પ્રવૃત્તિઓ, યુવા પ્રવૃત્તિઓ, રોજગાર માર્ગદર્શન, વ્યસનમુક્તિ, મહિલા સશક્તિકરણ, મહિલા સંગઠન વિગેરે સામાજિક કાર્યક્રમો સેવા પ્રકલ્પો માટે જ વપરાશે.
જ્યારે કળશ યોજનામાં જોડાનારા પરિવારને UK Card (ઉમાં કળશ કાર્ડ) આપવામાં આવશે. આ કાર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ વસ્તુઓની ખરીદીમાં વિશેષ વળતરનો લાભ મળી શકશે.
મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં બેગલેસ ડે અંતર્ગત બાલમેળો તેમજ લાઈફ સ્કિલ પ્રવૃત્તિઓ કરવામાં આવી
મોરબી: વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે જીવન કૌશલ્યનો જ્ઞાન મળે,વિદ્યાર્થીઓ મનગમતી પ્રવૃત્તિઓ કરી શકે, વિદ્યાર્થીઓ રહેલી સુષુપ્ત શક્તિઓનું પ્રકટીકરણ થાય, વિદ્યાર્થીઓમાં ભણતરનો ભાર ઓછો થાય એ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વ્યવસાયિક તાલીમ વોકેશનલ ટ્રેનિંગને મહત્વ આપવામાં આવ્યું...
મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત સૌ પ્રથમ પ્રાર્થના સભા- બાલસભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ ગીતો, ભજનો, કવિતાઓ, જાણવા જેવુ વગેરે રજૂ કરેલ. ત્યારબાદ લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી. વિદ્યાર્થીઓ ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય તે માટે શાળામાં બાલ સાંસદની રચના...
ટંકારા ખજુરા હોટલના પાર્કિંગમા થયેલ લુંટના ગુન્હાના વધું એક ઈસમને વાંકાનેર બાઉન્ટ્રી ખાતેથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. તેમજ આરોપીના નામદાર કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતા દિન ૦૭ ના રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે.
ગઇ તા.૨૧ મેં ના રોજ નિલેષભાઈ મનસુખભાઇ ભાલોડી રહે. રાજકોટ તથા તેઓના ડ્રાઈવર બન્ને રાજકોટ...