ઘરગથ્થુ ખાદ્ય પદાર્થો નો ઉપયોગ કરી 30થી વધુ પોષણક્ષમ વાનગીઓ બનાવી
દર વર્ષની જેમ આ વરસે પણ પોષણ માસ ની ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે પરીક્ષાના સમયને ધ્યાનમાં રાખીને આજે શ્રીમતી જે એ પટેલ મહિલા કોલેજમાં ઉજવણી કરવામાં આવી હતી
કૉલેજના NSS યુનિટ અને હોમસાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પોષણ મૂલ્યવર્ધક વાનગી બનાવવાની રીત, નાના બાળકો અને સગર્ભા મહિલા-માતાઓ અને કિશોરીઓમાં કુપોષણ નિવારવાની પ્રેકટીકલ સમજ આપવામાં આવી.જુદા -જુદા પોષણ મૂલ્યો ધરાવતાં અનાજ, કઠોળ, શાકભાજી, તેલિબિયાં, ખજૂર, રાજમા, રાગી, ગાજર, બીટ, આળવીનાં પાન વગેરે ઘરગથ્થું પદાર્થનો ઉપયોગ કરીને કુલ ૩૦ વાનગીઓ બનાવવામાં આવી.
એન.એસ.એસ.ની સ્વયંસેવકાઓ દ્વારા વાનગીઓ બનાવવામા આવી હતી. જંકફુડથી દૂર રહેવા હાકલ કરવામાં આવી. ગરીબ ઘરની વ્યકિત પણ ઓછી કિમતે પોષ્ટિક વાનગી બનાવીને આરોગી શકે એ બાબતે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રિ. ડૉ. પી. કે.પટેલ પ્રેરક વકતત્વ આપ્યું. મોરબી જીલ્લા NSS કો-ઓર્ડીનેટર પ્રો.વનિતાબેન કગથરાએ યોગ્ય માર્ગદર્શન આપ્યું. આ તકે હોમસાયન્સના અધ્યક્ષ પ્રો.દક્ષાબેન પટેલ , પ્રો. દિનેશભાઈ ઠોરીયા, ડૉ. રમેશભાઈ પવાર, પ્રો મંજુલાબેન દેસાઈ વગેરે હાજર રહીને વિધાર્થીને પ્રોત્સાહિત કરેલ. આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રો.વનિતાબેન કગથરાએ કર્યું હતું
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...