ઘરગથ્થુ ખાદ્ય પદાર્થો નો ઉપયોગ કરી 30થી વધુ પોષણક્ષમ વાનગીઓ બનાવી
દર વર્ષની જેમ આ વરસે પણ પોષણ માસ ની ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે પરીક્ષાના સમયને ધ્યાનમાં રાખીને આજે શ્રીમતી જે એ પટેલ મહિલા કોલેજમાં ઉજવણી કરવામાં આવી હતી
કૉલેજના NSS યુનિટ અને હોમસાયન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પોષણ મૂલ્યવર્ધક વાનગી બનાવવાની રીત, નાના બાળકો અને સગર્ભા મહિલા-માતાઓ અને કિશોરીઓમાં કુપોષણ નિવારવાની પ્રેકટીકલ સમજ આપવામાં આવી.જુદા -જુદા પોષણ મૂલ્યો ધરાવતાં અનાજ, કઠોળ, શાકભાજી, તેલિબિયાં, ખજૂર, રાજમા, રાગી, ગાજર, બીટ, આળવીનાં પાન વગેરે ઘરગથ્થું પદાર્થનો ઉપયોગ કરીને કુલ ૩૦ વાનગીઓ બનાવવામાં આવી.
એન.એસ.એસ.ની સ્વયંસેવકાઓ દ્વારા વાનગીઓ બનાવવામા આવી હતી. જંકફુડથી દૂર રહેવા હાકલ કરવામાં આવી. ગરીબ ઘરની વ્યકિત પણ ઓછી કિમતે પોષ્ટિક વાનગી બનાવીને આરોગી શકે એ બાબતે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રિ. ડૉ. પી. કે.પટેલ પ્રેરક વકતત્વ આપ્યું. મોરબી જીલ્લા NSS કો-ઓર્ડીનેટર પ્રો.વનિતાબેન કગથરાએ યોગ્ય માર્ગદર્શન આપ્યું. આ તકે હોમસાયન્સના અધ્યક્ષ પ્રો.દક્ષાબેન પટેલ , પ્રો. દિનેશભાઈ ઠોરીયા, ડૉ. રમેશભાઈ પવાર, પ્રો મંજુલાબેન દેસાઈ વગેરે હાજર રહીને વિધાર્થીને પ્રોત્સાહિત કરેલ. આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રો.વનિતાબેન કગથરાએ કર્યું હતું
સુરત: ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડર અને જમીન દલાલ ફૈઝલ ઝકરીયા હસન ફટ્ટાની ઘાતકી હત્યાના કેસમાં ચોકબજાર પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન પોલીસે ભાઠેના વિસ્તારમાં રહેતા બે શખ્સની ઓળખ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ બંનેના ઘરે પહોંચી હતી, પરંતુ પોલીસ આવે...
ગાંધીનગર: રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, ગુજરાતમાં વર્ષ 2022થી 2024 દરમિયાન અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમુદાયો સામે અત્યાચારના કુલ 4,890 કેસ નોંધાયા છે. આ ત્રણ વર્ષ દરમિયાન નોંધાયેલા કુલ કેસોમાંથી આશરે 81 ટકા કેસ અનુસૂચિત જાતિ સાથેના હતા.
વર્ષ પ્રમાણે આંકડા જોઈએ તો ગુજરાતમાં 2022માં SC-ST...
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...