વિશ્વ હિંદુ પરિષદ બંજરગદળ દુર્ગાવાહીની માતૃ શક્તિ સહિત નાં હિંદુ સંગઠનોના સંયુક્ત ઉપક્રમે તા. ૧૦ ને રવિવારે રામનવમીના પાવન અવસરે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાશે
જે શોભાયાત્રા તા. ૧૦ ને રવિવારે સાંજે ૦૪ : ૩૦ કલાકે મહારાણા પ્રતાપ સર્કલ, સામાકાંઠાથી પ્રારંભ થશે અને શહેરના મયુર પુલ, મહેન્દ્ર ડ્રાઈવ રોડ, દરબાર ગઢ, ગ્રીન ચોક, નગર દરવાજા, જુના બસ સ્ટેન્ડથી રામચોક, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ સામેના રસ્તાથી બાપા સીતારામ ચોક, એવન્યુ પાર્ક, રવાપર રોડ વસંત પ્લોટ, શાક માર્કેટ અને જેલ રોડ સહિતના વિસ્તારોમાં ફરીને વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય વાંકાનેર દરવાજા ખાતે પુર્ણાહુતી કરવામાં આવશે જે શોભાયાત્રામાં હિંદુ ભાઈઓ અને બહેનોએ જોડાવવા વિશ્વ હિંદુ પરિષદ સહિતની સંસ્થાઓએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે
મોરબીના નાની વાવડી ગામે રહેતા રાજેશભાઈ નારાયણભાઈ મિયાત્રા (ઉ.વ.૪૩) નામના યુવકે પંચાસર ગામે મેલડી માતાજીના મંદિર પાસે કોઈ કારણસર ઝેરી દવા પી જતા રાજેશભાઈને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી...
મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટની સામેથી વેપારી યવકની સ્વીફ્ટ કાર એક શખ્સ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર -૩૦૧મા રહેતા કરણભાઈ અનિલભાઈ બારડ (ઉ.વ.૨૬) એ આરોપી...