આપણી હિન્દૂ પરંપરામાં શષ્ટિપૂર્તિનો એક વિશેષ જ મહિમા રહ્યો છે ત્યારે મોરબી પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાને આગામી 08.03.2022 ના રોજ પોતાના જીવનના 60 વર્ષ પુરા થઈ રહ્યા છે. આ નિમિત્તે તેઓએ એક વિશિષ્ટ સંકલ્પ કર્યો. મોરબી જીલ્લાના સુવિખ્યાત તમામ મંદિરોના દર્શન કરવા અને એ અંતર્ગત સૌ પ્રથમ ચોટીલા મુકામે આવેલા તેઓના કુળદેવી માઁ ચામુંડાના દર્શન બાદ ખોડલધામ- કાગવડ અને મહાશિવરાત્રીના પાવન દિવસે ઉમા ટાઉનશીપ ખાતે આવેલ માઁ ઉમિયા મંદિર દર્શન કરી શિવાલય દર્શનયાત્રાનો પ્રારંભ કર્યો હતો..
શોભેશ્વર, અગનેશ્વર, કુબેરનાથ, નરસંગ ટેકરી, રામેશ્વર (અંકુર સોસા.) સત્યેશ્વર, સોમનાથ, બાદ જનકલ્યાણેશ્વર, રામેશ્વર (મોરબી-2),
શંકર આશ્રમ, પંચેશ્વર, જડેશ્વર, ત્રિલોકધામ, શનિમંદિર ધક્કાવાડી મેલડી માતા મંદિર દર્શન કરી કૃતાર્થતા અનુભવી હતી.. તમામ મંદિરોના મહંતશ્રીઓ અથવા પૂજારીશ્રીઓને શાલ ઓઢાળીને સન્માન કરાયું હતું.
દર્શન-યાત્રાના બીજા દિવસે વરિયા પ્રજાપતિ સમાજના આસ્થા કેન્દ્ર વરિયા માતાજી મંદિર, સો ઓરડી, સ્વામિનારાયણ મંદિર, સંસ્કારધામ. બાદ મચ્છુ નદીના કિનારે નિર્માણાધિન BAPS સ્વામીનારાયણ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી..
ભાગે એ ભાયડા! ઉચ્ચ અધિકારીના તપેલા ચડી જવાની પોલીસ બેડામાં ચર્ચા!
મોરબી જિલ્લા ના ટંકારા ના લજાઈ ખાતે આવેલ કમફર્ટ હોટલ ના ચકચારી જુગાર કાંડે આખા ગુજરાત માં ચર્ચા જગાવી છે, હોટલ કમફર્ટ મા હાઈ પ્રોફાઇલ જુગાર ધમધમી રહ્યું હતું જેના ઇનપુટ ત્યારના ટંકારા પી આઈ ગોહિલ ને મળ્યા જેને...
મોરબીની જાણીતી સામાજિક સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા 14 જૂન, 2025ના રોજ મોરબીની ગોકુલનગર પ્રાથમિક શાળાને એક વર્ષ માટે સેનેટરી પેડ્સની સહાય માટે દત્તક લેવાઈ છે.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ યુવતીઓને માસિક ધર્મ દરમિયાન જરૂરી આરોગ્ય અને સ્વચ્છતા સુવિધાઓ પ્રાપ્ત થાય એ છે, જેથી તેઓ પોતાની સ્કૂલની હાજરી...