ગુરૂદેવ ના શિષ્યો દ્વારા ૧૦૦૮ દીવડા ની મહાઆરતી તથા મહાપ્રસાદ યોજાશે
સદ્ગુરૂદેવ શ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી હરીચરણદાસજી મહારાજ ગત તા.૨૮-૩-૨૦૨૨ ના રોજ બ્રહ્મલીન થયા, ગુરૂજી દેવલોક પામ્યા બાદ તેમનો પ્રથમ જન્મદીન તા.૭-૪-૨૦૨૨ ગુરૂવાર ના રોજ હોય, મોરબી નિવાસી ગુરૂજી ના શિષ્યો દ્વારા તા.૭-૪-૨૦૨૨ ના રોજ મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સાંજે ૭ કલાકે ૧૦૦૮ દીવડા ની મહાઆરતી તેમજ ત્યારબાદ મહાપ્રસાદ નુ આયોજન કરેલ છે. તો દરેક ગુરૂભક્તો ને સમયસર ઉપસ્થિત રહેવા તેમજ પ્રસાદ ગ્રહણ કરવા વિનંતી.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ કુલ -03 મોટરસાયકલ ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી શહેરમાં બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા સૂચના આપેલ હોય તે મુજબ સર્વેલન્સ સ્કડનો સ્ટાફ મોરબી...
રસીકરણ એટલે સુરક્ષા કવચ, કોઈપણ રોગ કે બીમારીને મૂળમાંથી નાબૂદ કરવા તેમજ રોગ થાય પહેલા જ તેનું નિવારણ એટલે રસીકરણ. સરકાર દ્વારા રસીકરણને વિશેષ મહત્વ આપવામાં આવે છે અને તે બાબતે લોકોને જાગૃત કરવા માટે પણ રસીકરણ અભિયાન જેવા વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં પણ જિલ્લા વહીવટી...