મોરબી સ્વ.મનોજભાઈ સરડવાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે
સરડવા પરિવાર, શિવ પેલેસ પરિવાર અને મિત્ર મંડળ દ્વારા રક્તદાન રૂપી શ્રદ્ધાંજલિ અર્પવા રક્તદાન કેમ્પનું આયોજન. અવની ચોકડી ખાતે કરવામાં આવ્યું છે.
જિંદગીની સુવાસને ચો-તરફ ફેલાવી પોતાના જીવન દ્વારા સગા વ્હાલા, મિત્ર મંડળ અને પોતાના સંપર્કમાં આવનાર તમામ લોકોના હૃદયમાં અદકેરું સ્થાન પ્રાપ્ત કરનાર મનોજભાઈ સરડવાની વસમી વિદાયને તારીખ 6/04/2022 ના એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે એ નિમિત્તે તેમને શ્રદ્ધા સુમન વ્યકત કરવા તેમની યાદમાં શુભકાર્ય કરવાના સંકલ્પરુપે રક્તદાન કેમ્પનું તા. 06-04-22 ને બુધવારે સાંજે 4 થી 6, શિવ પેલેસ, અવની ચોકડી, કેનાલ રોડ મોરબી ખાતે સરડવા પરિવાર, શિવ પેલેસ પરિવાર અને મિત્ર મંડળ દ્વારા આયોજન કરેલ છે. જેમા રક્તદાન રૂપી મહાદાન કરી આપી શ્રદ્ધાંજલિ અર્પવા કેશવજીભાઇ નરશીભાઈ સરડવા,વિજયભાઈ કેશવજીભાઇ સરડવા,અશ્વિન કેશવજીભાઇ સરડવા, અનિતાબેન મનોજભાઈ સરડવાસમગ્ર સરડવા પરિવારજનો દ્વારા અનુરોધ કરાયો છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...