મોરબી સ્વ.મનોજભાઈ સરડવાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે
સરડવા પરિવાર, શિવ પેલેસ પરિવાર અને મિત્ર મંડળ દ્વારા રક્તદાન રૂપી શ્રદ્ધાંજલિ અર્પવા રક્તદાન કેમ્પનું આયોજન. અવની ચોકડી ખાતે કરવામાં આવ્યું છે.
જિંદગીની સુવાસને ચો-તરફ ફેલાવી પોતાના જીવન દ્વારા સગા વ્હાલા, મિત્ર મંડળ અને પોતાના સંપર્કમાં આવનાર તમામ લોકોના હૃદયમાં અદકેરું સ્થાન પ્રાપ્ત કરનાર મનોજભાઈ સરડવાની વસમી વિદાયને તારીખ 6/04/2022 ના એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે એ નિમિત્તે તેમને શ્રદ્ધા સુમન વ્યકત કરવા તેમની યાદમાં શુભકાર્ય કરવાના સંકલ્પરુપે રક્તદાન કેમ્પનું તા. 06-04-22 ને બુધવારે સાંજે 4 થી 6, શિવ પેલેસ, અવની ચોકડી, કેનાલ રોડ મોરબી ખાતે સરડવા પરિવાર, શિવ પેલેસ પરિવાર અને મિત્ર મંડળ દ્વારા આયોજન કરેલ છે. જેમા રક્તદાન રૂપી મહાદાન કરી આપી શ્રદ્ધાંજલિ અર્પવા કેશવજીભાઇ નરશીભાઈ સરડવા,વિજયભાઈ કેશવજીભાઇ સરડવા,અશ્વિન કેશવજીભાઇ સરડવા, અનિતાબેન મનોજભાઈ સરડવાસમગ્ર સરડવા પરિવારજનો દ્વારા અનુરોધ કરાયો છે
વાંકાનેર સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર સામે નદીના પટ્ટ માંથી દેશીદારૂ ભરેલ સ્વિફટ ગાડી પકડી પાડી દેશીદારૂ લીટર-૫૫૦ કિં રૂ.૧,૧૦,૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૬,૧૦, ૦૦૦ નો મુદામાલ વાંકાનેર સિટી પોલીસે ઝડપી પાડયો છે.
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે એક સફેદ કલરની સ્વિફટ ગાડી વાંકાનેર...
મોરબી: શિક્ષકોએ સમાજના ઘડવૈયા છે, શિક્ષકોનું કામ જીવંત વ્યક્તિત્વ સાથેનું છે, શિક્ષકોનું કુમળા છોડની જેમ બાળકોની દેખભાળ કરવાનું છે શિક્ષકો પોતાના સેવાકાળ દરમ્યાન બાળકોનું ભણતર, ગણતર, ઘડતર અને ચારિત્ર્યનું ચણતર કરે છે.
માતા-પિતા પોતાના પાંચ વર્ષના બાળકને શિક્ષકોના હાથમાં સોંપે છે, શિક્ષકો પણ બાળકોનું પોતાના બાળકની જેમ દેખરેખ રાખી લાલન,...