હળવદ તાલુકાના કડીયાણા ગામમાં ઘરની અગાસી પરથી પડી જતા ૪૦ વર્ષના પુરુષને ઈજા પહોંચી હતી જેનું સારવાર દરમિયાન મોત થયું છે
કડિયાણા ગામના રહેવાસી મહેશભાઈ ધીરજભાઈ વાઢરકીયા (ઉ.વ.૪૦) પોતાના ઘરે કોઈ કારણોસર અગાસીમાંથી પડી જતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ વધુ સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું હળવદ પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.૩૪) નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવાનું કહેલ...