હળવદ: હળવદ તાલુકાના જુના રાણેકપર ગામે મકાનના ધાબા પરથી નીચે પડી જતા યુવકનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના રાણેકપર ગામે રહેતા પ્રવિણભાઇ સામંતભાઈ બાબરીયા (ઉ.વ.૩૫) પોતાના મકાનના ધાબાની કઠોળી પર બેસતા કઠોળી પડી જતા પોતે ધાબા ઉપરથી નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
