આ પ્રશ્નને લઈને અગરીયા આગેવાનો દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાને રૂબરૂ રજુઆત કરી ઘટતું કરવા માંગણી
હળવદ તાલુકાના રણકાંઠા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર મીઠાના અગર માં પાણી ભરાઈ જવાના બનાવો બને છે જેના કારણે અગરિયાઓને મોટી નુકસાની વેઠવી પડે છે. અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી
હળવદ પંથકના કિડી, ટીકર, ખોડ સહિતના રણ વિસ્તારમાં નર્મદાનુ પાણી ઘૂસતા વેડફાટ થઇ રહેલ પાણી અગરીયાના મિઠાના પાટા સુધી પહોચ્યું છે જેને લઈને અગરીયાઓને આર્થિક નુકશાનીની ભીતિ સેવાઇ રહી છે. અગરિયાઓને મોં માં આવેલો કોળીયો છીનવાઇ જાય તેવી ભીતી સેવાઈ રહી છે.કેનાલમાંથી વેડફાટા મહામુલા પાણી રણમા ભરાવાનો સીલસીલો આગામી સમયમાં અટકશે નહીં તો મિઠા પાટા પાણીમા ગરકાવ થઈ જશે જેના પરિણામે અગરીયાઓની મહેનત એળે જાય તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. આ પ્રશ્નને લઈને અગરીઆ ભાઈઓની પરેશાની પારખી અગ્રણી છત્રસિંહ (પપ્પુભાઇ) ઠાકોરે. સનતભાઈ ડાભી, ભરતભાઈ રાઠોડ રતનસિંહ સરપંચ વગેરે આગેવાનો દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાને રૂબરૂ રજુઆત કરી ઘટતું કરવા માંગ ઉઠાવી છે.
મોરબી શહેરમાં રહેતી પરિણીતાનો દિકરો તેના પતિ સાથે રહેતો હોય અને પરણીતા પોતાના દિકરાને રમાડવા માટે માતા સાથે ગયેલ હોય ત્યારે પરણિતાને તેના સસરા તથા પતિએ ઝગડો કરી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના અરણોદયનગરમા રહેતા અને હાલ રાજકોટ...
મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને ગૌરવ અનુભવે છે કે જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપતા દિનેશભાઇ વડસોલાને ગુજરાત રાજ્યના HTAT (Head Teacher Aptitude Test) આચાર્ય સંવર્ગમાં રાજ્ય ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. દિનેશભાઇ વડસોલાએ શિક્ષક તરીકે પોતાની સેવાઓ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સતત નવીનતા, નેતૃત્વ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા દર્શાવી છે....