12,મી જાન્યુઆરી એટલે યુવાનો અને વિદ્યાર્થીઓના આદર્શ એવા સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતી.આ દિવસ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકાની ઢવાણા પે સેન્ટર શાળામાં સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતીની ઉજવણીના ભાગરૂપે શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સ્વામીજી અને ભારતમાતાની આરતી ઉતારવામાં આવી હતી.
ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા સ્વામીજીના જીવન કવન પર આધારિત વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધામાં યુવાવસ્થાના ખરા અર્થમાં લક્ષણો,સંસ્કારોની વાતો કરવામાં આવી.આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો,અને ભરતીયતાના દર્શન કરાવવાના હતા.વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યોનો વારસો જળવાઈ રહે એવા શુભ આશય સાથે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમના આયોજન અને અમલીકરણમાં શાળાના તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...