હળવદ: હળવદ તાલુકામાંથી પસાર થતી માલણીયાદ માઈનોર ડી-17 કેનાલ મારફતે ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે. પરંતુ કેનાલ સાફ સફાઈના અભાવે તમામ ખેડૂતો સુધી પાણી પહોંચતું નથી. જેના કારણે ખેડૂતોનો તલ, ગુવાર સહિતના પાક સુકાવા લાગે છે. જેથી વેગડવાવ, લીલાપુર, બુટવડા સહિતના ગામોના ખેડૂતો દ્વારા શક્તિનગર પાસે કેનાલમાં ઉતરી સાફ સફાઈ કરવા મજબૂર બન્યા છે. આ કેનાલ મારફતે શક્તિનગર, વેગડવાવ, ઘણાદ ,બુટવડા, લીલાપુર, મંગળપુર, માલણીયાદ અને ઈશનપુર સહિતના ગામોની 15 હજાર હેકટર જમીનમાં પિયતનો લાભ મળે છે.
હળવદ તાલુકામાંથી પસાર થતી કેનાલો દ્વારા ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે. પરંતુ કેનાલોની સાફ સફાઈના અભાવે છેવાડાના ખેડૂતો સુધી પિયતનું પાણી મળતું નથી. અને મોંઘા ભાવનું બિયારણ લાવીને વાવેતર કરેલો ખેડૂતોનો પાક સુકાવા લાગે છે. જેથી ખેડૂતોને મોટું નુકસાન પણ થાય છે. જેના કારણે ફરી ખેડૂતો જાતે કેનાલમાં ઉતરી સાફ સફાઈ કરવા મજબૂર બન્યા છે. વેગડવાવ, લીલાપુર, બુટવડા સહિતના ગામોના ખેડૂતો એકઠા થઈને શક્તિનગર પાસે માલણીયાદ માઈનોર ડી-17 કેનાલમાં જાતે ઉતરી સફાઈ કરી રહ્યાં છે. આ કેનાલ મારફતે શક્તિનગર, વેગડવાવ, ઘણાદ ,બુટવડા, લીલાપુર, મંગળપુર, માલણીયાદ અને ઈશનપુર સહિતના ગામોની 15 હજાર હેકટર જમીનમાં પિયતનો લાભ મળે છે.
ત્રણ મહિના પહેલા જ કેનાલ સાફ સફાઈ થઈ હોવાનું અધિકારીનું રટણ કેનાલમાં સાફ સફાઈ બાબતે ડેપ્યુટી ઈજનેર મેહુલભાઈ સાથે વાત કરતા તેમણે ત્રણ મહિના પહેલા જ કેનાલની સાફ સફાઈ કરવામાં આવી હોવાનું રટણ કરી રહ્યાં છે. પરંતુ સવાલ એ થાય કે ત્રણ મહિના પહેલા જ કેનાલની સફાઈ કરવામાં આવી હોય તો કેનાલની હાલત આવી હોય?. જોકે ખેડૂતો દ્વારા કેનાલની સફાઈ કરવામાં આવી રહી છે એ જોતા તમને લાગી રહ્યું છે કેનાલની સફાઈ યોગ્ય થઈ હશે?
વરસે તો ચોમાસુ પાકના ઢગલા કરતા મઘા નક્ષત્રનો આવતી કાલે મોડી રાત થી પ્રારંભ: મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે
ભારતમાં ચોમાસું નક્ષત્રોના આધારે હોય છે. આપણા શાસ્ત્રોમાં નક્ષત્રોનું અનેરું મહત્વ હોય છે. નક્ષત્રો પરથી વરસાદનો વરસાતા કાઢનારા અનેક આગાહી શાસ્ત્રો આપણા દેશમાં છે. ત્યારે...
સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે મોરબી જિલ્લામાં પધારેલા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ હળવદ વિસ્તારમાં પિયત મંડળીઓની મુલાકાત લીધી હતી.
ગુજરાત રાજ્ય ઉદ્ધવહન પિયત સહકારી સંઘ હેઠળ મોરબીમાં હળવદ તાલુકામાં વિવિધ પિયત મંડળીઓ કાર્યરત છે. આ મંડળીઓની મંત્રી જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લઇ તેમની સાથે વિવિધ ચર્ચાઓ કરી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીએ આ વિસ્તારમાં...
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે ૭૯ મોં સ્વતંત્રતા દિવસની ઉજવણી મહેન્દ્રસિંહજી ટાઉનહોલ ખાતે આવેલ ઉદ્યાનમાં કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું હતુ.
આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા સંબંધોન કરવામાં આવ્યું હતું તેમજ મહાનગરપાલિકા...