હળવદ : હળવદના ઘનશ્યામપુરમાં સ્વામિનારાયણ મંદિરના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ત્રિ-દિવસીય રાત્રીય સત્સંગ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.સત્સંગ કથામાં આવનાર માટે પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે.આ ત્રિ- દિવસીય રાત્રીય સત્સંગ કથામાં લોકોને આમત્રંણ આપવામાં આવ્યું છે.
હળવદના ઘનશ્યામપુરમાં સ્વામિનારાયણ મંદિરના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ઘનશ્યામપુર(ગોરી) સત્સંગી સમસ્ત દ્વારા ત્રિ- દિવસીય રાત્રીય સત્સંગ કથાનું આગામી તા.8 થી 10 સુધી રાત્રે 8:30 થી 11 વાગ્યા સુધી નવા પ્લોટમાં,ઘનશ્યામપુર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.સભા પુરી થયા બાદ પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.તા.8ના રોજ ચરાડવાના સ્વામી દિવ્યપ્રકાશદાસ,તા.9ના રોજ ચરાડવાધામના સ્વામી ભક્તિવિહારીદાસ અને મુળીધામના સ્વામી વ્રજવલ્લભદાસ પ્રવચન આપશે.હળવદના સ્વામી સ્વરૂપદાસ પ્રેરક તરીકે ઉપસ્થિત રહેશે.કાંકરિયાના સ્વામી વાસુદેવાનંદ વિશેષ મહેમાન તરીકે હાજર રહેશે. આ કથાનો લાભ લેવા હરિભક્તોને અપીલ કરવામાં આવી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ કુલ -03 મોટરસાયકલ ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી શહેરમાં બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા સૂચના આપેલ હોય તે મુજબ સર્વેલન્સ સ્કડનો સ્ટાફ મોરબી...
રસીકરણ એટલે સુરક્ષા કવચ, કોઈપણ રોગ કે બીમારીને મૂળમાંથી નાબૂદ કરવા તેમજ રોગ થાય પહેલા જ તેનું નિવારણ એટલે રસીકરણ. સરકાર દ્વારા રસીકરણને વિશેષ મહત્વ આપવામાં આવે છે અને તે બાબતે લોકોને જાગૃત કરવા માટે પણ રસીકરણ અભિયાન જેવા વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં પણ જિલ્લા વહીવટી...