હળવદ : હળવદના ઘનશ્યામપુરમાં સ્વામિનારાયણ મંદિરના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ત્રિ-દિવસીય રાત્રીય સત્સંગ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.સત્સંગ કથામાં આવનાર માટે પ્રસાદ પણ રાખવામાં આવ્યો છે.આ ત્રિ- દિવસીય રાત્રીય સત્સંગ કથામાં લોકોને આમત્રંણ આપવામાં આવ્યું છે.
હળવદના ઘનશ્યામપુરમાં સ્વામિનારાયણ મંદિરના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ઘનશ્યામપુર(ગોરી) સત્સંગી સમસ્ત દ્વારા ત્રિ- દિવસીય રાત્રીય સત્સંગ કથાનું આગામી તા.8 થી 10 સુધી રાત્રે 8:30 થી 11 વાગ્યા સુધી નવા પ્લોટમાં,ઘનશ્યામપુર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.સભા પુરી થયા બાદ પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.તા.8ના રોજ ચરાડવાના સ્વામી દિવ્યપ્રકાશદાસ,તા.9ના રોજ ચરાડવાધામના સ્વામી ભક્તિવિહારીદાસ અને મુળીધામના સ્વામી વ્રજવલ્લભદાસ પ્રવચન આપશે.હળવદના સ્વામી સ્વરૂપદાસ પ્રેરક તરીકે ઉપસ્થિત રહેશે.કાંકરિયાના સ્વામી વાસુદેવાનંદ વિશેષ મહેમાન તરીકે હાજર રહેશે. આ કથાનો લાભ લેવા હરિભક્તોને અપીલ કરવામાં આવી છે
મોરબીના નાની વાવડી ગામે રહેતા રાજેશભાઈ નારાયણભાઈ મિયાત્રા (ઉ.વ.૪૩) નામના યુવકે પંચાસર ગામે મેલડી માતાજીના મંદિર પાસે કોઈ કારણસર ઝેરી દવા પી જતા રાજેશભાઈને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી...
મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટની સામેથી વેપારી યવકની સ્વીફ્ટ કાર એક શખ્સ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર -૩૦૧મા રહેતા કરણભાઈ અનિલભાઈ બારડ (ઉ.વ.૨૬) એ આરોપી...