હળવદ : હળવદ તાલુકાના ભલગામડા ગામે બાઇક સાઇડમા લેવા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી જતા આ મારામારીની ઘટનામાં બન્ને પક્ષે ચાર-ચાર લોકો ઘાયલ થતા ઇજાગ્રસ્તોને મોરબી અને સુરેન્દ્રનગર ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે. હાલ હળવદ પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હોવાનું જાણવા મળે છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ભલગામડા ગામે બાઇક સાઇડમા લેવા જેવી નજીવી બાબતે ખાંભડીયા અને દેત્રોજા પરીવાર વચ્ચે બોલાચાલી થયા બાદ થોડીવારમાં ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરતા બન્ને પક્ષે અથડામણ થઈ હતી. આ મારામારીની ઘટનામાં કુલ 8 લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે મોરબી તેમજ સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વધુમાં બનાવની જાણ થતા જ હળવદ પોલીસ ઇન્સ્પેકટર સહિતનો પોલીસ કાફલો ભલગામડા ગામે દોડી ગયો હતો. મારામારીની આ ઘટનામાં જશુબેન પ્રભુભાઇ દેત્રોજા, વિજયભાઇ રમેશભાઇ દેત્રોજા, પ્રભુભાઇ સુરાભાઇ દેત્રોજા, હરેશભાઇ પ્રભુભાઇ દેત્રોજા, ભુપતભાઇ અળખાભાઇ ખાંભડીયા, વિનોદભાઇ, અળખાભાઇ ખાંભડીયા, રણજીતભાઇ પ્રવિણભાઇ ખાંભડીયા અને પ્રવિણભાઇ અરજણભાઇ ખાંભડીયાને ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે.હાલમાં હળવદ પોલીસે ભલગામડા ગામે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હોવાનું જાણવા મળે છે.
ગુજરાત ગેસ કંપની દ્વારા પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વૃક્ષા રોપણ
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા દરરોજ કંઈકને કંઈક વિદ્યાર્થીલક્ષી, સમાજલક્ષી પ્રવૃત્તિઓ કરવા માટે જાણીતી છે, ત્યારે અત્યારે દિવસે દિવસે ઔદ્યોગિકરણ અને આધુનિકીકરણ કારણે વૃક્ષોનું છેદન દિન પ્રતિદિન વધતું જાય છે, સોસાયટીમાં ઘરની સામે ઉભેલા ઘટાદાર વૃક્ષોમાંથી પાનખરમાં ઝાડમાંથી પાંદડા ખરતા...
ટંકારા ઉગમણા નાકે મુખ્ય શ્મશાન સામે અમરાપર ટોળ પાણી માટે નિકળતી પાઈપલાઈન ટુટી હોઈ ત્યારે આ પાણી લિક થયું એ ખાડામાં ગૌ વંશ પણ પડી ને મુત્યુ થતા કોંગ્રેસના નેતા મહેશ રાજકોટિયા અને મોરબી જિલ્લા પંચાયત ના વિરોધપક્ષના નેતા ભુપત ગોધાણી તાત્કાલિક અધિકારીઓ સાથે સમસ્યા અંગે ચર્ચા કરી કોન્ટ્રાક્ટર...
મોરબીના રવાપર ગામના નિવાસી સવિતાબેન દેવજીભાઈ ચારોલાનુ ૯૫ વર્ષની વયે તા. ૧૮/૦૬/૨૦૨૫ ને બુધવાર ના રોજ અવસાન થયેલ છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.
સદગત બેસણું:- તારીખ ૨૦/૦૬/ ૨૦૨૫ ને શુક્રવારના રોજ બપોરે ૦૩ થી ૦૫ કલાકે ઉમા હોલ, શિવ મંદિરની સામે, રવાપર ગામ મોરબી...