હળવદ શહેરમાં બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં રહેતો યુવાન તેના દાદીને ગાળો આપતો હતો માટે તે યુવાનના નાના ભાઇએ તેને દાદીને ગાળો આપવાની ના કહી હતી ત્યારે યુવાને તેની પાસે રહેલી છરી વડે તેના સગા નાના ભાઈને મોઢા, નાક અને હોઠ ઉપર ઈજા કરી હતી અને વચ્ચે પડેલા દાદાને પણ ધક્કો મારીને પાડી દીધા હતા જેથી હાલમાં ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ તેના સગાભાઇની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા કલ્પેશભાઈ હસમુખભાઈ પરમાર (ઉંમર ૧૭) એ હાલમાં તેના સગાભાઇ અશ્વિનભાઈ હસમુખભાઈ પરમારની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો ભાઈ અશ્વિનભાઈ તેની દાદીને ગાળો આપતો હતો ત્યારે તેને ગાળો આપવાની ના કહી હતી જે બાબતનો ખાર રાખીને અશ્વિનભાઈને કલ્પેશને ગાળો આપી હતી અને બાદમાં અશ્વિનભાઈએ તેની પાસે રહેલ છરી વડે કલ્પેશને મોઢા, નાક અને હોઠ ઉપર ઇજાઓ કરી હતી તેમજ કલ્પેશને બચાવવા માટે વચ્ચે પડેલા તેના દાદા ગાંડુભાઈને ધક્કો મારીને પડી દીધા હતા જેથી હાલમાં સારવાર લીધા બાદ કલ્પેશભાઈ પરમારે તેના સગાભાઇ અશ્વિનભાઈ હસમુખભાઈ પરમારની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે મોરબીના સબરજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા પૂ. જલારામ બાપાની મહાઆરતી તેમજ સદાવ્રત માં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.
આ તકે સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા, નિવૃત...
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.૩૪) નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવાનું કહેલ...