મોરબી જિલ્લામાં વ્યાજખોરો દ્વારા તગડા વ્યાજે નાણાં ધરી બાદમાં વ્યાજે લિધેલા નાણાં પરત ન આપી શકતાં આવાં લોકો ની જમીન મકાન અને મિલ્કતો પચાવી પાડવાનાં કિસ્સાઓ સામે આવતા હોય છે અને આવા કિસ્સાઓમાં મોટા ભાગે પોલીસ ફરિયાદ કરવામાં ન આવતી હોય વ્યાજખોરો બેફામ બની તગડું વ્યાજ વસુલતા રહેછે અવાજ એક કિસ્સામાં હળવદ પોલીસ દફતરે એક વેપારીએ ૧૫ જેટલા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે
મળતી માહિતી મુજબ હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા હિતેશભાઈ હિમતલાલ શેઠ એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી લગધીરભાઈ રબારી, વિજયભાઈ રધુભાઇ રબારી, હિરેનભાઈ પટેલ, વસંતભાઈ મોરી હળવદ ગોરી ગેસ એજન્સીના ભાગીદાર, તેજસભાઈ દવે જી માર્ટ ફર્નીચર હળવદ, જયરામભાઈ દલવાડી, પ્રભુભાઈ રબારી, જીલાભાઈ ભરવાડ, હર્ષદભાઈ રબારી, રવિભાઈ રબારી, મુકેશભાઈ ભરવાડ, મનોજભાઈ રબારી, લખમણભાઈ ભરવાડ, ભરતસિંહ ગોહિલ અને કિરણભાઈ બ્રાહ્મણ પાસેથી જુદી જુદી રકમ અને જુદા જુદા વ્યાજદરે નાણા લીધેલ હોય જે નાણાની આરોપીઓએ ગેરકાયદેસર ઉચું વ્યાજ વસુલવા વધુ વ્યાજની પઠાણી ઉધરાણી કરી ફરિયાદી હિતેશભાઈ શેઠને રૂબરૂ તેમજ ફોનમાં ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાઈ છે તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબી લાલબાગ સેવા સદનમાં કરોડો રૂપિયાના વહીવટ અને નોંધણી થતી હોવા છતાં સેવાસદનમાં પાયાની સુવિધાઓના અભાવ મુદ્દે મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ તંત્ર પર આક્ષેપો કરી આકરા પ્રહારો કર્યા હતા.
આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજા દ્વારા તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મોરબી...