મોરબી થી રૂપિયા ૫૧ લાખની કિંમતનો લેમીનેટ સીટ ટ્રકમાં લોડ કરી નેપાળ ખાતે પહોંચતી કરવાની હોય આ લેમીનેટ સીટ નેપાળ પહોંચે તે પહેલાં જ ટ્રક ચાલક દ્વારા સગેવગે કરી દેતા આ બાબતની ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયા બાદ પોલીસે ઉત્તરપ્રદેશના ગાજીપુરથી ટ્રકના ક્લીનર અને મુખ્ય સૂત્રધાર આરોપીના સાળાને 51 લાખની લેમિનેટ્સ શીટ તેમજ ગુન્હાના કામે ઉપયોગમાં લેવાયેલ ટ્રક સાથે ઝડપી લીધો છે.
મોરબી નાયબ જિલ્લા પોલીસવડા મુનાફખાન પઠાણ દ્વારા પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, મોરબીમાં જોબવર્કથી પ્લાયવુડ અને લેમીનેટ્સ સીટ બનાવડાવી સપ્લાય કરવાનું કામ કરતી કઝારીયા પ્લાયવુડ નામની પેઢીના મેનેજર દીપકભાઇ મનસુખભાઇ ઘોડાસરાએ ઉત્તરપ્રદેશ આઝમગઢના ગોપાલપુર સરદહા બજાર, મહારાજ ગંજ ખાતે રહેતા ટ્રક ચાલક દીલીપકુમાર અભીમન્યુ સીંગ વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડી, વિશ્વાસઘાત કરી અડધા કરોડથી વધુ કિંમતની લેમીનેટ્સ શીટ નેપાળ નહિ પહોંચાડી હડપ કરી જવા મામલે ગત તા.15ના રોજ ફરિયાદ નોંધાવી હતી.
વધુમાં ફરિયાદ મુજબ તા.25 ફેબ્રુઆરીના રોજ મોરબીથી 5775 નંગ લેમીનેટ્સ શીટ કિંમત રૂપિયા 51,97,544 કેશરીચંદા અનવરલાલ એન્ડ કંપની નેપાળ ખાતે પહોચાડવા માટે શર્મા ટ્રાન્સપોર્ટરના માધ્યમથી ટ્રક નં. યુપી -50-સીટી-087મા ભરી મોકલાવેલ હતો. પરંતુ આરોપી ટ્રક ચાલકે આજદિન સુધી કેશરી ચંદા અનવરલાલ એન્ડ કંપની નેપાળ ખાતે લેમીનેટ્સ શીટ ન પહોંચાડતા આ મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૦૭ મુજબ ગુન્હો નોંધી ટ્રક ચાલકને ઝડપી લેવા પોલીસની ટીમને ઉત્તરપ્રદેશ મોકલી હતી. આ કેસમાં ઉત્તરપ્રદેશ ગયેલી પોલીસ ટીમને મહત્વની સફળતા મળી હતી અને આરોપીઓ દ્વારા છેતરપિંડીથી મેળવાયેલ લેમિનેટ્સ શીટ સસ્તાભાવે વેચી નાખવા દુકાન શરૂ કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસ ટીમે આરોપી કિશનસિંહ રાજેશસિંહ રાજપૂત કે જે મુખ્ય સૂત્રધાર અને ટ્રક ચાલક દિલીપસિંઘનો સાળો થતો હોય પોલીસે ગાજીપુર ખાતેથી આરોપીને 51 લાખની કિંમતની લેમિનેટ્સ શીટ અને ગુન્હાના કામે ઉપયોગમાં લીધેલા ટ્રક સહીત ઝડપી લીધો હતો.
આ સફળ કામગીરી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ પી.એ.દેકાવાડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એલ.એન.વાઢિયા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ઝાલા, વિજયભાઈ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ લકુમ અને ઇન્દ્રવિજયસિંહ પરમાર સહિતનાઓએ કરી હતી.
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી 2025 પશુ પકડેલ છે. વિવિધ વિસ્તારમાંથી રખડતા ઢૌર પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે.
તદુપરાંત પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 178 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે. 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે મોરબીના સબરજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા પૂ. જલારામ બાપાની મહાઆરતી તેમજ સદાવ્રત માં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.
આ તકે સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા, નિવૃત...