10મી વાર રકતદાન કરી સામાજિક જવાબદારી નિભાવતા જયેશભાઈ અગ્રાવત.
મોરબી તો પોતાની દાતારી માટે જગ વિખ્યાત છે. મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષક તરીકેની જવાબદારી નિભાવતા જયેશભાઈ અગ્રાવતને ભગતસિંહ બ્લડ ગ્રુપ મોરબી તરફથી સોનુભાઇનો ફોન આવ્યો કે એક દર્દીને A પોઝીટીવ રકતની જરૂર છે. તેથી જયેશભાઈએ સંસ્કાર બ્લડ બેંક ખાતે જઈ, રકતદાન કરી પોતાની સામાજિક જવાબદારી નિભાવી.
