મોરબી: આગામી તારીખ 19 ઓક્ટોબર ને બુધવારના રોજ મોરબી પાંજરાપોળના લાભાર્થે સંતવાણી તથા લોક ડાયરાનું આયોજન મોરબીના લીલાપર રોડ પર આવેલા રાધે પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું છે.
આ લોક ડાયરામાં ભજનિક નિલેશ ગઢવી, લોકગાયિકા અપેક્ષા પંડ્યા અને સાહિત્યકાર પિયુષ મહારાજ ભજનની રમઝટ બોલાવશે. સાથે જ મારુતિ સાઉન્ડનો પણ સહકાર આ સંતવાણી અને લોક ડાયરામાં મળી રહેશે. ત્યારે પાંજરાપોળના લાભાર્થે યોજાઇ રહેલા આ સંતવાણી અને લોક ડાયરાના કાર્યક્રમમાં જે કાંઈ ઘોર સ્વરૂપે આવક થશે એ પાંજરાપોળ ને અર્પણ કરવામાં આવશે, તેમજ લોક ડાયરામા પધારવા સૌને સવજીભાઈ બારૈયા તથા અરવિંદભાઈ બારૈયા ગણેશ મંડપ મોરબી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
“ગિરનારી મંડળ” નામનું વોટસઅપ ગ્રુપ વર્ષ ૨૦૧૫થી સતત સક્રિય રીતે કાર્યરત છે, જેની સ્થાપના રાજેશભાઈ ગોહેલ દ્વારા થયેલ.આ મંડળનું મુખ્ય ધ્યેય વનસ્પતિ પરિચય, આયુર્વેદનો શાસ્ત્રોક્ત પ્રચાર, લોકોને સાચી અને સંયમિત ચિકિત્સાની સમજ આપવી, તેમજ વનસ્પતિઓનો ઔષધીય ઉપયોગ, સંવર્ધન અને સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવાનો છે. સાથે સાથે, સમાજમાં પર્યાવરણના મહત્વ...
આવતીકાલ તા. 06 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ રાજકોટની નામાંકિત આસ્થા આર્થરાઇઝ એન્ડ રૂમેટોલોજી ક્લિનિકના વા, સાંધા તથા સ્નાયુના રોગોના નિષ્ણાંત ડો. ફાલ્ગુન કે. ધોરીયાણી (MD, PDF)ની મોરબીના એક્યુરા ડાયગ્નોસ્ટિક સેન્ટર ખાતે રાહત દરે કન્સલટેશન ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં વા, સાંધા તથા સ્નાયુને લગતાં દરેક પ્રકારના રોગોનું સચોટ નિદાન...