ટંકારા: શ્રી લોહાણા સમાજની વાડી, કન્યા શાળાની બાજુમાં, દેરી નાકા મેઇન રોડ, ટંકારા ખાતે તા. ૫મી માર્ચે ‘આયુષ મેળો’ તથા વિના મુલ્યે આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અભિયાન અંતર્ગત, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામક આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા નિર્દેશિત આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, મોરબી તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી દ્વારા તા.૦૫-૦૩-૨૦૨૩ ને રવીવાર ના રોજ શ્રી લોહાણા સમાજની વાડી, કન્યા શાળાની બાજુમાં, દેરી નાકા મેઇન રોડ, ટંકારા ખાતે સવારે ૯-૦૦ થી ૩-૦૦ કલાકે “આયુષ મેળો” તથા આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રજાજનોની આરોગ્ય સુખાકારી હેતુ આયુષ મેળાનું આયોજન થવા જઇ રહયુ છે. તો આ પ્રસંગે આરોગ્યલક્ષી પ્રશ્નોનું નિવારણ મેળવવા તેમજ વિવિધ આયુષની આરોગ્ય પધ્ધતિ વિશે માર્ગદર્શન મેળવી આરોગ્ય પ્રાપ્તિ માટેના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રજાજનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી માળિયા હાઈવે રોડ ઉપર આવેલ રામપર ગામના પાટીયા પાસે જેકેટી હોટલ સામે રોડ ઉપર ઈકો કારે એક્ટીવા મોટરસાયકલને હડફેટે લેતા મોટરસાયકલ સવારનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કિશનગઢ સોખડા ગામે રહેતા કિશોરભાઈ ઉર્ફે હકાભાઈ દેવદાનભાઈ...
હળવદ તાલુકાના શીવપુર ગામની સીમમાં ચોથળુ તરીકે ઓળખાતી સિમમા વૃદ્ધની અને આરોપીની એક શેઢે જમીન આવેલી હોય જેથી શેઢા બાબતે વૃદ્ધ સાથે બોલાચાલી કરી ઝગડો કરી વૃદ્ધને આરોપી સગાભાઈએ ખંપારી વડે મારમારી તથા મુંઢ ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના...