ટંકારા: શ્રી લોહાણા સમાજની વાડી, કન્યા શાળાની બાજુમાં, દેરી નાકા મેઇન રોડ, ટંકારા ખાતે તા. ૫મી માર્ચે ‘આયુષ મેળો’ તથા વિના મુલ્યે આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અભિયાન અંતર્ગત, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામક આયુષની કચેરી, ગાંધીનગર દ્વારા નિર્દેશિત આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, મોરબી તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી દ્વારા તા.૦૫-૦૩-૨૦૨૩ ને રવીવાર ના રોજ શ્રી લોહાણા સમાજની વાડી, કન્યા શાળાની બાજુમાં, દેરી નાકા મેઇન રોડ, ટંકારા ખાતે સવારે ૯-૦૦ થી ૩-૦૦ કલાકે “આયુષ મેળો” તથા આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રજાજનોની આરોગ્ય સુખાકારી હેતુ આયુષ મેળાનું આયોજન થવા જઇ રહયુ છે. તો આ પ્રસંગે આરોગ્યલક્ષી પ્રશ્નોનું નિવારણ મેળવવા તેમજ વિવિધ આયુષની આરોગ્ય પધ્ધતિ વિશે માર્ગદર્શન મેળવી આરોગ્ય પ્રાપ્તિ માટેના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રજાજનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળના કાંટ પાસે ખરાબાની જગ્યામાંથી વિદેશી દારૂ બીયર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૧,૪૭,૦૪૦ નો મુદામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળના કાંટ પાસે...
મોરબીના વીસીપરા વિસ્તારમાં સેન્ટમેરી ફાટક પાસે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયર મળી કુલ કિં રૂ. ૪૦૯૫૦ નો મુદામાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી નવલખી રોડ સેન્ટમેરી ફાટક પાસે રહેતા આરોપી રોહીત મુન્નાભાઈ સરવૈયા એ...
૭૦ વર્ષના દર્દી જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની ની નળી માં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ...