સરકારની સહાયથી હવે અમારો વ્યવસાય નવી ઊંચાઈઓ સર કરશે – લાભાર્થી શોભાબેન દેવડા
દેશની પ્રત્યેક નારી પગભર બને તે તરફ સરકાર સતત પ્રયત્નશીલ છે. દેશના વિકાસની સાથે નારી શક્તિનો વિકાસ થાય અને દેશના વિકાસમાં તે પણ પોતાનો ફાળો આપી શકે તે માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો હાલ અમલમાં છે. આ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને કાર્યક્રમો થકીની એક યોજના એટલે રાષ્ટ્રીય ગ્રામીણ શહેરી આજીવિકા મિશન યોજના. જે હેઠળ વિવિધ સખી મંડળો અને સખી સંઘની બહેનો સરકારની સહાયથી પગભર બની રહી છે.
આવી જ એક સહાયનો ૭.૫ લાખની લોનનો ચેક મેળવી ટંકારા તાલુકામાં આવેલ શક્તિનગર (વિરવાવ)ના શક્તિનગર ગ્રામ સખી સંઘના પ્રમુખ શોભાબેન દેવડા હર્ષભેર જણાવે છે કે, અમારા સખી સંઘને આ સહાયનો ચેક મળતા અમારો વ્યવસાય અનેક નવી ઊંચાઈઓ સર કરશે. કેટલીક બહેનો તેમના વ્યવસાયમાં નવી સુવિધાઓ સાથે નવું ફલક ઊભું કરશે તો કેટલીક બહેનો સીવણ કે પાર્લરનો નવો વ્યવસાય શરૂ કરશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારા સખી સંઘમાં પાંચ સખી મંડળની ૩૬ બહેનો જોડાયેલી છે આ બહેનો ડેરી, સીવણ, ઈમીટેશન, ખેતી, પાર્લર વગેરે વ્યવસાયો સાથે જોડાયેલી છે. સરકારની આવી સહાય થકી અમારા વ્યવસ્થાને એક નવો જોશ નવો ઉત્સાહ મળે છે. ઉલ્લેખનીય છે કે, મોરબી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે યોજાયેલા કાર્યક્રમમાં શક્તિનગર ગ્રામ સખી સંઘને ૭.૫ લાખની સહાય એનાયત કરવામાં આવી હતી
ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાષ્ટ્રનાં બાળકો અને યુવાનોમાં રાષ્ટ્ર ચેતના, દેશભક્તિનાં સંસ્કારનું સિંચન કરવાં તથા સમર્થ રાષ્ટ્ર બને એ ઉદ્દેશથી “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા” અને “ભારત કો જાનો પ્રશ્નમંચ” નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જેથી બંને સ્પર્ધાઓનું આયોજન શ્રી સરસ્વતી શિશુ મંદિર-મોરબી ખાતે કરવામાં આવેલ હતું.
જેમાં ભારત કો...
માળીયા થી રાજકોટ જતા અને મોરબી મધ્યે થી નીકળતા હાઇવેની વચ્ચે નાખેલ સ્ટ્રીટ લાઇટો જે ભક્તિનગર સર્કલ બ્રિજ થી ભગવાન પરશુરામ બ્રિજ સુધીની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે જે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા મોરબીના જાગૃત નાગરિક ચાવડા નિલેષભાઈએ કલેકટરને રજૂઆત કરી માંગ છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે હાલમાં મોરબી નગરપાલિકામાંથી...
સમગ્ર ભારતના તમામ જિલ્લાઓમાં પ્રધાનમંત્રીને સંબોધન કરી તારીખ ૧૫ સપ્ટેમ્બર સોમવારના રોજ કલેક્ટરને આવેદનપત્ર અપાયું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) દ્વારા આજે તારીખ 15 સપ્ટેમ્બરના રોજ સમગ્ર ભારતના તમામ જિલ્લાઓ પર જિલ્લા કલેકટરને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સંબોધન કરતું આવેદનપત્ર આપાયું. સંગઠન દ્વારા તા. ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫ના ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા...