મોરબી નજીક આવેલા લાલપર ગામ ખાતે શ્રી રામ રાજ ગૌશાળા લાલપર ના લાભાર્થે શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞ શ્રી રામકથાનું લાલપર ગામ સમસ્ત તારીખ 13/ 5/ 22 થી ભવ્ય આયોજન કરવામાં આવેલ હોય કથાકાર શ્રી વેદાંતચાર્ય ડોક્ટર દિલીપ જી પોતાની સંગીત મય ભાવવાહી શૈલીમાં ભક્તોને રામકથાનું રસપાન કરાવી રહ્યા છે
આજ રોજ શ્રી રામકથા નાં પાંચમા દિવસે શ્રી લાલપર ગામ સમસ્ત તથા લાલપર યુવા ગ્રુપ દ્વારા રામરાજ ગૌશાળા લાલપર ના લાભાર્થે આજ રોજ તારીખ 17/5/2022 રાત્રે 9:00 ભવ્ય સંત વાણીનો કાર્યક્રમ રાખેલ હોય આ સંતવાણી પ્રોગ્રામ ભજનીક કલાકાર ગોપાલ સાધુ અને તેમના સાથી કલાકારોની ટીમ ભજનોની રમઝટ બોલાવશે તો તમામ ધર્મ પ્રેમીઓને સંતવાણી કાર્યક્રમ મા પધારવાનું ભાવભીનું આમંત્રણ આપવામાં આવે છે
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...