આજ રોજ મોરબી જિલ્લા ના માળિયા તાલુકા ની કન્યા શાળા માં વર્ષો જુનો ભોય ટાંકા ની છતનો ભાગ તુટી પડતા શાળા ની સાત થી આઠ વિધાર્થીનીઓ ભોય ટાંકા મા પડી હતી પણ સદનસીબે જાનહાનિ થઈ નથી પણ જર્જરિત ટાંકા ને કારણે બનેલી ધટના લાલબત્તી સમાન છે કદાચ આ વિદ્યાર્થી ઓને કંઈ થયું હોત તો તેનું જવાબદાર કોણ?
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા કલેક્ટર ને માંગ કરવામાં આવી કે મોરબી જિલ્લામાં આવેલ તમામ શાળાઓ સરકારી તેમજ ખાનગી મા લટકતી છતો કે પછી અકસ્માત સર્જી શકે તેવી કોઈપણ જોખમકારક બાબતો જે મોજુદા શાળા માં હોય તો તેને તાત્કાલિક અસર થી દુર કરાવવી ભવિષ્ય માં અકસ્માત ન સર્જાય તેમજ વિદ્યાર્થીઓ નાં જાન અને જોખમ ઉભુ ન થાય તેવા પગલા તુરંત લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સતત શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસના પથ પર આગળ વધી સમગ્ર ગુજરાતમાં આગવી ઓળખ સ્થાપિત કરી રહ્યું છે.
રાજ્ય કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ગૌરવભર્યું પ્રદર્શન
જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા આયોજિત રાજ્ય કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં નવયુગના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.
એક પાત્રિય અભિનયમાં શેરસિયા રૂહી...
મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ (એન.ડી.ડી.) ની શહેરના વિવિધ વિસ્તારોમાં ઉજવણી કરવામા આવી હતી, મોરબી મહાનગરપાલિકા માં સમાવેશ થતા જુદા જુદા વિસ્તારોમાં શાળા તેમજ આંગણવાડી ખાતે જતા 1 થી 19 વર્ષ સુધીના બાળકોને કૃમિનાશક આલ્બેંડેઝોલ ગોળી આપવામા આવી...
મોરબી: મોરબી જિલ્લાના વિરપરડા ગામે આગામી તારીખ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ ને ગુરુવારના રોજ આઈશ્રી રાજબાઈ માતાજીનો 'પ્રાગટ્ય મહોત્સવ-૨૦૨૬' અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. શ્રી રાજલધામ-વિરપરડા ખાતે સમસ્ત ઓરીયા વ્યાસ પરિવાર દ્વારા આ મંગલ પ્રસંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
મહોત્સવના ભાગરૂપે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં ભવ્ય રાસ-ગરબા:...