મોરબીમાં તસ્કરો જાણે પોલીસને ચેલેન્જ આપતા હોય તેમ વધુ એક મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી ૬૫,૫૦૦ ના મુદામાલની ચોરી
મોરબી : વાવડી રોડ ઉપર આવેલ ભગવતીપાર્ક સોસાયટીમાં મકાનને તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું છે અને બંધ મકાનના તાળાં તોડીને તસ્કરે ઘરમાંથી સોના અને ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળીને ૬૫૫૦૦ ના મુદામાલની ચોરી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાવડી રોડ ઉપર આવેલ ભગવતીપાર્ક સોસાયટીમાં રહેતા છોટાલાલ જીવરાજભાઇ પરમારે હાલમાં મોરબી સિટી એ ડિવિઝન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે , જીટી તા . ૩/૬ ના રાત્રી ૩ થી ૬ દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સ તેના રહેણાંક મકાનમાં તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રૂમમા કબાટમા રાખેલ સોનાના દાગીના જેમાં નાની બુટી આઠ ગ્રામ કિંમત ૧૦૦૦૦ , સોનાની વીટી બે કિંમત ૧૦૦00 , ઓમકાર સોનાનો કિંમત ૫૦૦ તથા ચાંદીના ગ્લાસ , ચાંદીના પાંચ સીકા , ચાંદીની ગાય , ચાંદીનો પંજો , ચાંદીનો જુડો , કેડ કંદોરો ચાંદીનો ત્રણ જોડ અને ચાંદીની એક લકી તથા રોકડ ૨૦,૦૦૦ આમ કુલ મળીને ૬૫૫૦૦ ના મુદામાલની ચોરી કરવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવા મોરબી સિટી એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ. પી.સી કલમ ૩૮૦ , ૪૫૭ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સંગઠનને મજબૂત બનાવવામાં અને સમાજની એકતા વધુ ગાઢ કરવા એ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, ભાઇઓ, વિવિધ મંડળો તથા સંગઠનોના હોદેદારો એકત્ર થઈને સમાજના સર્વાંગી વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરાશે. ખાસ કરીને સમાજમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ માટેના ઉપાય, બોડીંગ ખાતે ચાલી રહેલી...
બિલાસપુર થી પત્રકાર સુરક્ષા કાનૂન માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત કરવામાં આવી
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું સાતમું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન : વીસ થી વધુ રાજ્યોના 800 જેટલા પત્રકારોની ઉપસ્થિતિ
ગાંધીનગર : દેશનાં સૌથી મોટા રજિસ્ટર્ડ પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું છતીસગઢ ની ન્યાયધાની બિલાસપુર માં સાતમું રાષ્ટ્રીય...