PNG માં પણ 28 રૂપિયાનો ભાવવધારો ઝીંકાયો છે. આ વધારો આજથી લાગુ કરાયો છે
મોંઘવારી વચ્ચે લોકોને વધુ એક ફટકો પડવા જઈ રહ્યો છે. અદાણી ગેસ દ્વારા બે મહિના બાદ ફરી એકવાર ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. CNG અને PNG બંનેમાં ભાવવધારો થતા લોકોની પરેશાની વધી ગઈ છે. CNG માં 1.31 રૂપિયા ભાવ વધતા 83.90 રૂપિયા થયો છે. તો PNG માં 28 રૂપિયાનો ભાવવધારો સ્લેબમાં ઝીંકાયો છે સતત આ પ્રકારના ભાવવધારાના કારણે ગાડીમાં સીએનજી કીટ ફીટ કરાવનારા લોકોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે વાહનચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઊંચકાયા છે
મૂળ મોરબી તાલુકા રાજપર ગામના નીવાસી પૂજ્ય શ્રી સુરેશ મહારાજ તારીખ ૧૯-૦૮-૨૦૨૫ ને મંગળવારના રોજ નર્મદા તીર્થ ક્ષેત્રે બ્રહ્મલીન થયેલ છે.
તેમના આત્મશ્રેયઅર્થે તારીખ ૨૧-૦૮-૨૦૨૫ ને ગુરુવારના રોજ બપોરે ૦૩ થી ૦૬ વાગ્યે રાજપર પટેલ સમાજ વાડી ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવેલ છે.
...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ અવિરતપણે ચલાવવામાં આવે છે ત્યારે મોરબી નગરપાલીકાના પૂર્વ ચેરમેન, જલારામ સેવા મંડળના ઉપપ્રમુખ, લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબીના ઉપપ્રમુખ, રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબીના પ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી તથા મોરબી જલારામ વેવિશાળ માહિતી...