વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં યોજવાની છે. ત્યારે અલગ અલગ પક્ષો અને સમાજ દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ચૂંટણીને અનુલક્ષીને પ્રદેશ કોંગ્રેસ સમિતીમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે ધારાસભ્ય લલિતભાઇ કગથરાની નિમણૂક કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસના ઇતિહાસમાં ગુજરાતની અંદર પ્રથમ વખત સાત કાર્યકારી પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જે અનુસંધાને જિલ્લા કોંગ્રેસ દ્વારા મોરબીમાં બાઈક રેલી યોજી કારી કારી પ્રમુખ લલિત કગથરા ના સ્વાગત સમારંભ અંતર્ગત ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે આ રેલી અંતર્ગત પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત,ઋત્વિજ મકવાણા, કિરીટ પટેલ તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ,નયન અઘારા સહિતના જિલ્લાના દરેક તાલુકા મથકોના કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો અને હોદેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા.ત્યારે આ ભવ્ય રેલી મહેન્દ્રનગર પાસે આવેલ ઉમિયા મંદિર ખાતેથી રવાપર ગામ ઘુનડા રોડ ખાતે આવેલ દ્વારકેશ પાર્ટી પ્લોટ સુધી ભવ્ય બાઈક રેલી યોજવામાં આવી હતી. ત્યારે લલિતભાઈ અને અન્ય કોંગી આગેવાનો દ્વારા આગામી ચૂંટણીમાં ૧૨૫ જેટલી બેઠકો કબજે કરવા માટે તૈયારી દર્શાવામાં આવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...